બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 AM, 24 April 2025
કાશ્મીરના પહેલગામમાં થયેલા નરસંહારક આતંકવાદી હુમલામાં કાનપુરના યુવાન શુભમ દ્વિવેદીનો પાર્થિવ દેહને મંગળવારે મોડી રાત્રે લખનૌ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમને તેમના વતન કાનપુર મોકલવામાં આવ્યા. ઘરે પહોંચતા જ આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું. દરેકની આંખ ભીની હતી અને દરેકના હૃદય દુઃખથી ભરાયેલું હતું.
ADVERTISEMENT
શુભમના પિતા સંજય દ્વિવેદીએ દર્દથી કહ્યું કે “આ નાલાયક આતંકવાદીઓએ મારી સામે મારા પુત્રને ગોળી મારી દીધી. મારી વહુને તેણે કહ્યું, ‘જાઓ અને મોદીને કહી દો કે અમે તમને નથી મારવાના.’ આ કેટલું દર્દભર્યું છે કે મારા દીકરાને માર્યા પછી પણ તેણે દેશના નેતાને સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો.”
ADVERTISEMENT
#WATCH लखनऊ: पहलगाम आतंकी हमले में मारे गए कानपुर के शुभम द्विवेदी और नेपाल के सुदीप का पार्थिव शरीर लखनऊ हवाई अड्डे पर लाया गया। उत्तर प्रदेश के उपमुख्यमंत्री ब्रजेश पाठक ने उन्हें श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/53615N2IgR
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
શુભમની પત્ની એશાન્યાએ ગૂંગળામણભર્યા અવાજમાં કહ્યું, “અમે શાંતિથી બેઠા હતા અને વાતો કરી રહ્યાં હતા. ત્યારે જ કેટલાક બંદૂકધારીઓ આવ્યા અને પુછયું કે શુભમ હિન્દુ છે કે મુસ્લિમ. શુભમે કહ્યું કે હું હિન્દુ છું અને તરત જ તેમણે ગોળી મારી.”
#WATCH लखनऊ: मृतक शुभम द्विवेदी के पिता संजय द्विवेदी ने कहा, "आतंकवादियों के खिलाफ सख्त कार्रवाई होनी चाहिए...सरकार को ऐसी कार्रवाई करनी चाहिए कि उनकी सात पुश्तें किसी को मारने की हिम्मत न कर सकें..." https://t.co/oYmoRC1PqU pic.twitter.com/vBRi6lyMjL
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
ઉત્તર પ્રદેશના મંત્રી રાકેશ સચન અને યોગેશ શુક્લાએ તેમના મૃતદેહને ખભા પર લઈ એમ્બ્યુલન્સ મારફતે ઘેર પહોંચાડ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્વયં મંગળવારે સવારે શુભમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ગામ આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક લખનૌ એરપોર્ટ પર પિતાને મળ્યા અને કહ્યું, “શુભમ ફક્ત તમારો દીકરો નહિ, પણ ભારતનો દીકરો છે. આપણું દુઃખ એકસાથ છે. આતંકવાદીઓને એવી સજા મળશે કે તેમનો આત્મા પણ કંપી ઊઠશે.”
આ પણ વાંચો : નાના ભાઈની સુંદર પત્ની પર જેઠનું આવ્યું દિલ, વીડિયો બનાવીને કરી દીધી મોટી ડિમાન્ડ
શુભમના પિતા સંજય દ્વિવેદીએ કહ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ સુરક્ષા દળ હાજર ન હતા. તેમનો સરકાર પર વિશ્વાસ છે કે આ દુઃખદ ઘટનાનો સંપૂર્ણ બદલો લેવાશે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ મળીને વિનંતી કરી હતી કે આવું ફરીથી કોઈના ઘરમાં ન બને.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.