બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના

પ્લાન / પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના

Last Updated: 12:42 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કશ્મીરના પહેલગામમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો હતો, જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે 17 લોકો ઘાયલ થયા હતા. હવે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું આ આતંકી હુમલાની અસર આગામી અમરનાથ યાત્રા પર પણ પડશે? ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.

જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણામે અનેક પ્રવાસીઓએ હવે કશ્મીર જવાનું રદ્દ કરી દીધું છે. બીજી બાજુ, ત્રણ મહિના પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. તે સંબંધે હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ યાત્રા થશે કે નહીં?

આનો જવાબ છે – હા, યાત્રા રદ નહીં થાય. આતંકી હુમલા છતાં 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા યથાવત રહેશે. જમ્મૂ-કશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓએ ડરવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ 3 જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે નવી સુરક્ષા યોજના લાગુ કરાશે.

24 કલાક દેખરેખ, સુરક્ષા વ્યવસ્થામાં વધારો

વિશેષ કેન્દ્રિય કમાન્ડ સેન્ટર 24 કલાક યાત્રા પર નજર રાખશે. પહેલગામ અને સોનમાર્ગમાં પ્રવાસીઓની આવજા રોકી શકાય છે. તમામ ટ્રાન્ઝિટ કેમ્પમાં કડક સુરક્ષા રહેશે. ડ્રોન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ વધારવામાં આવશે. યાત્રામાં સામાન્ય રીતે નિયુક્ત રહેતાં દોઢ લાખ સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.

શું અમરનાથ યાત્રા પર અસર પડશે?

અમરનાથ યાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માત્ર અમરનાથ જ નહીં, પણ વૈષ્ણો દેવી ધામની યાત્રા પર પણ આ હુમલાનો અસર પડી શકે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવેલો આ હુમલો લોકોમાં ભય ફેલાવી રહ્યો છે.

વધુ વાંચો: ભારત સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, પાકિસ્તાની ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર લગાવ્યો બેન

માહિતી મળી છે કે પહેલગામમાં થયેલા આ આતંકી હુમલામાં આશરે 8 થી 10 આતંકીઓ સામેલ હતા, જેમાંથી 2-3 સ્થાનિક મદદગારો હતા અને 5 થી 7 આતંકી પાકિસ્તાનથી આવેલા હતા. સ્થાનિક લોકોની મદદથી જ આ હુમલો શક્ય થયો હતો. જાણકારી અનુસાર આતંકીઓ સ્થાનિક ભાષામાં વાતચીત કરી રહ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. આ હુમલામાં કુલ 28 લોકોનાં મો*ત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra 2025 Jammu and Kashmir Pahalgam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ