બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:53 AM, 10 May 2025
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે જોરદાર કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા અને ગોળીબાર થયો છે. આ તણાવની પૃષ્ઠભૂમિમાં શનિવારની સવારે પાકિસ્તાનના અનેક એરપોર્ટ પર શક્તિશાળી વિસ્ફોટ થયા હતા. જેમાં ઇસ્લામાબાદ નજીક આવેલું નૂર ખાન એર બેઝ પણ સામેલ છે, જે રાવલપિંડીમાં આવેલું છે અને દેશના લશ્કરી મુખ્યાલયની બાજુમાં આવેલું મહત્વપૂર્ણ સ્થળ છે.
ADVERTISEMENT
પાકિસ્તાની સૈન્યના દાવા અનુસાર, ભારતે પાકિસ્તાનની ત્રણ વાયુસેના સ્થાપનાઓને નિશાન બનાવી છે. એરબેઝ પર થયેલા આ વિસ્ફોટો ખૂબ જ પ્રચંડ હતાં અને વિસ્ફોટ બાદ નૂર ખાન એર બેઝમાં આગ લાગ્યાની માહિતી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો દ્વારા સામે આવી છે. જોકે, આ વીડિયો હાલ માત્ર સોશિયલ મીડિયા પર છે અને તેમની પુષ્ટિ VTV ડીજીટલ કરતું નથી.
ADVERTISEMENT
વિસ્ફોટોની ગંભીરતા જોતા પાકિસ્તાન સરકારે દેશના સમગ્ર હવાઈ ક્ષેત્રને નાગરિક અને વાણિજ્યિક વિમાનો માટે તાત્કાલિક બંધ કરી દીધું છે. પાકિસ્તાની મીડિયાના મતે, આખી રાત દરમિયાન ભારતીય બાજુથી સતત અને શક્તિશાળી વિસ્ફોટો થયા હતા, જેના લીધે સમગ્ર પ્રદેશમાં ભય અને અશાંતિનું વાતાવરણ છે.
આ પણ વાંચો : ભારતે છોડી છ બેલિસ્ટિક મિસાઇલો, પાકિસ્તાનના 3 એરબેઝ પર બ્લાસ્ટ - PAK આર્મીનો દાવો
જો કે શુક્રવાર મોડી સાંજથી, પાકિસ્તાને ભારતના 26 શહેરોમાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને સતત ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા. આ દરમિયાન, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે ભારતે છ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. પાકિસ્તાને આને ભારતનું બેજવાબદાર કૃત્ય ગણાવ્યું છે. જે બાદ પાકિસ્તાને એરબેઝ બંધ કરી દીધું અને NOTAM જારી કર્યું. જોકે, ભારત સરકાર દ્વારા હજુ સુધી આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.