નિર્ભયા કાંડના ગુનેગારો ફાંસીથી બચવા માટે રોજ બરોજ નવા નવા પેંતરા અપનાવી રહ્યાં છે. ત્રણ વાર ડેથ વોરંન્ટ ઈસ્યૂ કરવામાં આવ્યાં છે. ત્રીજા ડેથ વોરંટમાં 3 માર્ચના રોજ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે 2 ગુનેગારોએ વધુ પેંતરા કર્યા છે. જેમાંથી પવને ફાંસીથી બચવા માટે કરેલી ક્યૂરેટિવ પિટીશનની આજે સુનવણી કરવામાં આવશે.
ગુનેગાર પવનની ક્યુરેટિવ પિટિશન પર થશે સુનાવણી
આજે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પર સંભળાવશે ચુકાદો
ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવા કરી છે માંગ
આ જજની પેનલ કરશે નિર્ણય
ન્યાયમૂર્તિ એન. વી રમણ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ આર.એફ. નરીમન, ન્યાયમૂર્તિ આર ભાનુમતિ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પીઠ ન્યાયમૂર્તિ રમણના ચેમ્બરમાં સુધારાત્મક પિટીશન પર સુનમણી કરશે. ઉલ્લેખનીય છે કે પવને ગુનાહ સમયે પોતેને સગીર હતો એવી દલીલ સાથે આ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે પટિયાલા કોર્ટ સહિત હાઈકોર્ટે તેના સગીર હોવાનો દાવો ખોટો છે કહી તેને ખોટા દસ્તાવેજો રજુ કરવા બદલ 25 હજારનો દંડ ફટકારી ચૂકી છે. તેમજ તેના વકીલ સામે પણ બાર કાઉન્સિલરે જવાબી નોટિસ ઈસ્યુ કરી હતી.
ફાંસીથી બચવા વારંવાર પેંતરા કરી રહ્યાં છે
નિર્ભયાના ગુનેગારોના 2 વખત ડેથ વોરન્ટ ઈસ્યૂ થયા તે દરમિયાન તેમને કોઈને કોઈ ગુનેગારની અરજી પેન્ડિંગ હોઈ તેમને ફાંસી થઈ શકી નહોતી. જેને પગલે ત્રીજુ ડેથ વોરંટ ઈસ્યૂ કરી ને તેમને 3 માર્ચના રોજ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આવતી કાલે તેમની ફાંસી છે તો આજે એક ગુનેગાર પવનને ફરી કરેલી ક્યૂરેટીવ પિટીશનનની સૂનવણી છે.
ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવા કરી છે માંગ
ગુનેગાર પવનને ફાંસીથી બચવા સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. નિર્ભયાના આરોપી પવને ફાંસીની સજાથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી રજૂઆત કરી હતી કે તેની ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવામાં આવે. જેની માંગ પર આજે સુપ્રીમ કોર્ટ ફેંસલો આપશે. ત્યારે જો આ અરજી કોના હકમાં જાય છે તે જોવાનું રહ્યું.