બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / શું છે WAVES 2025 સમિટ?, જેની PM મોદીએ કરાવી શરૂઆત, કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
Last Updated: 01:35 PM, 1 May 2025
Waves Summit 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાતે જવાના છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે પીએમ મોદી અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. આ પછી તેઓ શુક્રવારે કેરળમાં વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બહુહેતુક બંદરનું ઉદ્ઘાટન કરશે.
ADVERTISEMENT
India's story touches every heart worldwide: PM @narendramodi at 1st World Audio Visual Entertainment Summit, #WAVES2025 in Mumbai.#WAVESIndia #WAVES2025 #WAVES #WAVESummit #WAVESummitIndia #ConnectingCreatorsConnectingCountries @PMOIndia @AshwiniVaishnaw @Murugan_MoS… pic.twitter.com/F1GCKFH6zH
— All India Radio News (@airnewsalerts) May 1, 2025
WAVES 2025 શું છે?
ADVERTISEMENT
WAVES 2025 સમિટ આજથી ચાર દિવસ ચાલશે. આ કાર્યક્રમ ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. તે વિશ્વભરના રચનાકારો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવવા માટે તૈયાર છે. વેવ્સ 2025 ની ટેગલાઇન 'કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ' રાખી છે. 90 થી વધુ દેશો, 1,000 ક્રિએટર્સ, 300 થી વધુ કંપનીઓ અને 350 થી વધુ સ્ટાર્ટઅપ્સના 10 હજારથી વધુ પ્રતિનિધિઓ તેમાં જોડાશે.
📸#WAVESIndia 2025 at Mumbai, #Maharashtra.
— All India Radio News (@airnewsalerts) May 1, 2025
🗓️ 1st May-4th May, Jio World Centre#WAVES #WAVESIndia #WAVESummit #WAVESummitIndia@AshwiniVaishnaw @Murugan_MoS @MIB_India @sjaju1 @WAVESummitIndia @nfdcindia @PIB_India @PIBMumbai pic.twitter.com/sQ0vmhiylR
આ સમિટમાં કુલ 42 સત્રો, 39 ખાસ સત્રો અને 32 માસ્ટરક્લાસનું આયોજન કરવામાં આવશે. પ્રસારણ, ઇન્ફોટેનમેન્ટ, એવીજીસી-એક્સઆર, ફિલ્મ અને ડિજિટલ મીડિયા જેવા ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ડ્રેસ કોડથી લઈને થંબ ઇમ્પ્રેશન સુધી, NEET UGની પરીક્ષા પહેલા વાંચી લેજો ગાઈડલાઈન
તેનો હેતુ શું છે?
WAVE શિખર સમિટનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક શક્તિ તરીકે આગળ વધારવાનો છે. તેના પ્રથમ વર્ષથી WAVES ભારતીય અને વૈશ્વિક હિસ્સેદારો વચ્ચે જ્ઞાન વિનિમય, સંવાદ અને સહયોગને પણ પ્રોત્સાહન આપશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ પહેલનો હેતુ વૈશ્વિક સંવાદિતા માટે ભારતના આધ્યાત્મિક વારસાનો લાભ લેવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT