બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / JD Vance in India: ટેરિફ જંગ વચ્ચે ભારતના જમાઈનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, PM મોદીને મળશે
Last Updated: 11:09 AM, 21 April 2025
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વાન્સની આ પહેલી સત્તાવાર મુલાકાત છે. હાલ ટ્રમ્પ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટેરિફ વચ્ચે તેમની ભારતની આ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. પ્રેસિડન્ટ જેડી વાન્સ ભારત મુલાકાતે તેમના ભારતીય મૂળના પત્ની ઉષા અને 3 બાળકો પુત્રો ઇવાન અને વિવેક અને પુત્રી મીરાબેલ સાથે જયપુર અને આગ્રાના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે તો ચાર દિવસના કાર્યક્રમમાં મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
A very warm welcome to @VP JD Vance, @SLOTUS Mrs. Usha Vance, & the U.S. 🇺🇸 delegation to 🇮🇳! Received by Minister of Railways and I&B @AshwiniVaishnaw at the airport.
— Randhir Jaiswal (@MEAIndia) April 21, 2025
The Official Visit (21–24 Apr) spanning Delhi, Jaipur & Agra is expected to further deepen the India–U.S.… pic.twitter.com/EAb8eto33N
આ મુદ્દાઓ પર ચર્ચા થશે
ADVERTISEMENT
જેડી વાન્સ અને પીએમ મોદી વચ્ચેની ચર્ચા ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફને અંતિમ સ્વરૂપ આપવા બાબત પર રહેશે તેવી અપેક્ષા છે. જે હાલમાં જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. બંને નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધોના એકંદર માર્ગને વેગ આપવાના માર્ગો પણ શોધશે. બંને દેશો ભારત-અમેરિકા વેપાર મુદ્દાઓ જેમાં ટેરિફ અને બજાર ઍક્સેસનો સમાવેશ થાય છે. તેને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ભારતની એક ટીમ આ મહિનાના અંતમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત લઈને યુએસ અધિકારીઓ સાથે વેપાર કરાર અંગે ચર્ચા કરી શકે છે. અહેવાલો અનુસાર સોમવારે બેઠક દરમિયાન કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે નહીં.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.
— ANI (@ANI) April 21, 2025
Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1
જેડી વાન્સ તેમના પરિવાર સાથે જયપુર, આગ્રા ઉપરાંત સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લેશે.
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત
દિલ્હી પહોંચ્યાના થોડા કલાકો પછી વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે અગાઉથી સુરક્ષા વ્યવસ્થા કરી દેવાઇ છે. પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. અને મુલાકાતના સમયે પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. તેઓ પરંપરાગત ભારતીય હાથથી બનાવેલી વસ્તુઓ વેચતા 'શોપિંગ કોમ્પ્લેક્સ'ની પણ મુલાકાત લઈ શકે છે. દિલ્હી ઉપરાંત, વાન્સ તેમના પરિવાર સાથે જયપુર અને આગ્રા પણ જશે. યુએસ સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ વરિષ્ઠ અધિકારીઓ વાન્સ સાથે ભારત આવે તેવી શક્યતા છે.
વધુ વાંચો: Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
જયપુરની અને આગ્રાની મુલાકાત
વાન્સ 21 એપ્રિલે જયપુર જશે અને 24 એપ્રિલ સુધી ત્યાં રહેશે. 22 એપ્રિલની સવારે તેઓ તેમના પરિવાર સાથે પ્રખ્યાત આમેર પેલેસની મુલાકાત લેશે. ત્યાં તેમનું પરંપરાગત રાજસ્થાની સ્વાગત કરવામાં આવશે. જેમાં તેઓ જોધપુરી પાઘડી પહેરશે અને લોક નૃત્યો, કઠપૂતળીના શો, પરંપરાગત પોશાક અને સ્થાનિક ભોજનનો આનંદ માણશે. દરમ્યાન તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાગડેને પણ મળશે. 23 એપ્રિલે તેઓ આગ્રા જશે અને તાજમહેલ જોશે. લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા પછી તેઓ જયપુર પાછા ફરશે અને સિટી પેલેસની મુલાકાત પણ લેશે. વાન્સ સોમવારે રાત્રે દિલ્હીથી રવાના થવાની ધારણા છે અને ત્યારબાદ તે જયપુર અને આગ્રા જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.