બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોણ હતા જસ્ટિસ કૈલાશ નાથ વાંચૂ, જેઓ કાયદાની ડિગ્રી વગર બન્યા હતા CJI, જાણો કેમ છે ચર્ચામાં
Last Updated: 12:49 PM, 22 April 2025
લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ ભારતના 10 માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કૈલાશ નાથ વાંચૂ વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભૂતપૂર્વ CJI કૈલાશ નાથ વાંચુએ કાયદાની ડિગ્રી લીધી ન હતી. જસ્ટિસ વાંચૂએ વર્ષ 1967 થી 1968 એટલે કે 1 વર્ષ માટે સુપ્રીમ કોર્ટના ઉચ્ચ પદ પર સેવા આપી હતી. તેઓ દેશના ૧૦મા મુખ્ય ન્યાયાધીશ હતા. સાંસદ દુબેએ તેમણાં સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર આ વિશે લખ્યું હતું કે " શું તમે જાણો છો કે 1967-68માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કૈલાશ નાથ વાંચૂજીએ કાયદાનો અભ્યાસ જ નહોતો કર્યો.' આ પહેલા દુબેએ ભારતમાં 'ગૃહ યુદ્ધ' માટે CJI ખન્નાને દોષી ઠેરવ્યા હતા.
ADVERTISEMENT
क्या आपको पता है कि 1967-68 में भारत के मुख्य न्यायाधीश कैलाशनाथ वांचू जी ने क़ानून की कोई पढ़ाई नहीं की थी ।
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 21, 2025
કોણ હતા જસ્ટિસ કૈલાશનાથ વાંચૂ
ADVERTISEMENT
જસ્ટિસ કૈલાશ નાથ વાંચૂ એક ICS અધિકારી હતા જે પાછળથી ભારતના 10મા CJI બન્યા. તેમનો જન્મ વર્ષ 1903 માં મધ્યપ્રદેશમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાંથી પહેલા ન્યાયાધીશ હતા. લો ટ્રેન્ડ્સ અનુસાર તેમણે વર્ષ 1924માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી અને બાદમાં તેમની તાલીમ પૂરી કરવા માટે બ્રિટન ગયા હતા. વર્ષ 1926 માં તેમને સંયુક્ત પ્રાંતમાં સહાયક મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને બાદમાં તેઓ રાયબરેલીના જિલ્લા ન્યાયાધીશ બન્યા. અહેવાલ મુજબ તેમની ICS તાલીમ દરમિયાન તેમને ફોજદારી કાયદા વિશે શીખવવામાં આવ્યું હતું. તાલીમમાંથી પાછા ફર્યા પછી તેમણે ઉત્તર પ્રદેશમાં કલેક્ટર તરીકે કામ કર્યું અને લોકપ્રિયતા મેળવી. વર્ષ 1947માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશ બન્યા. 1956માં તેમને નવા રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
વધુ વાંચો: એક ફોટો અને લાખો રૂપિયા ગાયબ! WhatsApp પર આવ્યું નવું સ્કેમ, જાણી લેજો નહીંતર પસ્તાશો
કેવી રીતે બન્યા CJI
જસ્ટિસ વાંચૂના CJI બનવાની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. રિપોર્ટ અનુસાર 11 એપ્રિલ 1967ની તારીખ જસ્ટિસ વાંચૂના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ. તે સમય દરમિયાન તત્કાલીન CJI કે સુબ્બારાવે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું . આ પછી વાંચૂને ભારતના 10મા CJI તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 24 એપ્રિલ 1969 ના રોજ તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળ્યું. તેઓ 10 મહિના સુધી આ પદ પર રહ્યા અને 24 ફેબ્રુઆરી 1968ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 355 ચુકાદા આપ્યા. આ પછી જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ તેમના અનુગામી બન્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.