બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મહિલાઓના અધિકારોની દિશામાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, હવે ત્રીજા બાળકના જન્મ પર મળશે આ ભેટ
Last Updated: 09:06 AM, 24 May 2025
Supreme Court Decision: સુપ્રીમ કોર્ટે દેશભરની કામ કરતી મહિલાઓને રાહત આપતો નિર્ણય આપ્યો છે. કોર્ટે શુક્રવારે સ્પષ્ટતા કરી કે પ્રસૂતિ રજા (મેટરનિટી લિવ) ફક્ત સામાજિક ન્યાય કે સદ્ભાવનાનો વિષય નથી, પરંતુ તે મહિલાઓનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો કે જેમાં એક સરકારી શિક્ષિકાને તેના ત્રીજા બાળકના જન્મ પર પ્રસૂતિ રજા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે જણાવ્યું કે પ્રસૂતિ રજાનો હેતુ મહિલા કર્મચારીઓને સામાજિક ન્યાય અપાવવાનો છે જેથી તેઓ બાળકને જન્મ આપ્યા પછી જીવિત તો રહી શકે, પરંતુ તેમની ઉર્જા પણ પાછી મેળવી શકે, બાળકનું પાલન-પોષણ કરી શકે અને તેમની કાર્ય કુશળતા જાળવી શકે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, 'મહિલાઓ હવે કાર્યબળનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને તેમને સન્માન અને ગરિમા સાથે કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.' બેન્ચે એમ પણ કહ્યું કે ગર્ભાવસ્થા સ્ત્રીની શારીરિક અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે અને આમાં માત્ર માતૃત્વ જ નહીં પરંતુ બાળકની સંભાળ પણ જરૂરી છે.
ADVERTISEMENT
શું હતો હાઈકોર્ટનો નિર્ણય?
હાઇકોર્ટે રાજ્ય સરકારની એ નીતિના આધારે શિક્ષિકાને રજા આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં બેથી વધુ બાળકોના જન્મ પર પ્રસૂતિ રજાની મંજૂરી આપવામાં આવતી નથી, જેથી વસ્તી નિયંત્રણમાં મદદ મળી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી, અને કહ્યું કે આ કેસ મહિલાના બીજા લગ્ન સાથે સંબંધિત છે અને તે જ લગ્નથી ત્રીજા બાળકનો જન્મ થયો છે.
આ પણ વાંચો: આજે આ રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદ મચાવશે તબાહી, જાણો કેવું રહેશે આજનું હવામાન
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, "દરેક મહિલાને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો અધિકાર છે, જેમાં રાજ્ય દ્વારા કોઈ અનુચિત દખલ ન હોવી જોઈએ. સ્ત્રીને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત રાખવી અથવા તેની શારીરિક અને માનસિક સ્થિતિને અવગણવી એ તેના ગૌરવને ઠેસ પહોંચાડવી છે.'
આ નિર્ણયને મહિલાઓના અધિકારોની દિશામાં એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં લાખો કામ કરતી મહિલાઓને રાહત આપશે. હવે મહિલાઓ ત્રીજા બાળકના જન્મ પર પણ પ્રસૂતિ રજાનો લાભ મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT