બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:36 AM, 24 May 2025
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ સાથે મુલાકાત કરી અને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત કોઈપણ પરમાણુ ખતરાથી ડરવાનું નથી.
ADVERTISEMENT
ભારતને મળ્યું જર્મનીનું સમર્થન
જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે (Johann Wadephul) આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જર્મની આતંકવાદ સામેની કોઈપણ લડાઈને સમર્થન આપશે. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું, 'આતંકવાદને દુનિયામાં ક્યાંય સ્થાન ન મળવું જોઈએ અને તેથી જ અમે આતંકવાદ સામે લડનારા બધાને સમર્થન આપીશું.' વાડેફુલે કહ્યું કે અમે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી સ્તબ્ધ છીએ. ભારતને ચોક્કસપણે આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે, એ પણ એક હકીકત છે કે હવે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે, જેની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. તેમણે યુદ્ધવિરામ જાળવી રાખવા અને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર ભાર મૂક્યો. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ પર નિયમિત વાતચીત થઈ રહી છે અને આવનારા સમયમાં તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.
ADVERTISEMENT
Excellent meeting today with FM @JoWadephul in Berlin.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 23, 2025
Deeply appreciate Germany’s understanding of India’s right to defend itself against terrorism.
Discussed making our Strategic Partnership stronger, deeper and closer. Identified areas of further promise and potential.… pic.twitter.com/teX3h6DDWb
એસ જયશંકરે કહ્યું- અમે પરમાણુ બ્લેકમેલથી ડરવાના નથી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ત્રણ દેશોના યુરોપિયન પ્રવાસ પર છે. તેમણે બર્લિનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું કે આતંકવાદ પ્રત્યે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. ભારત આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં.
આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતની જવાબી કાર્યવાહી બાદ હું તરત જ બર્લિન આવ્યો છું. ભારત આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે. ભારત ક્યારેય પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં અને ભારત પાકિસ્તાન સાથે સંપૂર્ણપણે દ્વિપક્ષીય રીતે વ્યવહાર કરશે. આ અંગે કોઈને પણ કોઈ સમસ્યા કે મૂંઝવણ ન હોવી જોઈએ. અમે જર્મનીની આ સમજને પણ મહત્ત્વ આપીએ છીએ કે દરેક દેશને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. જણાવી દઈએ કે વિદેશ મંત્રીની જર્મનીની મુલાકાત સાથે, ભારતને આતંકવાદના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય મંચ પર બીજી મોટી જીત મળી છે. આતંકવાદ સામેના યુદ્ધમાં જર્મનીએ ભારતને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.
ભારત માટે જર્મનીનો ટેકો મહત્વપૂર્ણ
જયશંકરે જર્મનીના સમર્થનનું સ્વાગત કર્યું અને કહ્યું કે અમે પ્રશંસા કરીએ છીએ કે જર્મની ભારતના સ્વ-બચાવના અધિકારને સમજે છે. દરેક દેશને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. આ ભાગીદારી અને પરસ્પર વિશ્વાસની નિશાની છે.
સરહદ પારની આતંકવાદી ઘટનાને એક્ટ ઓફ વોર માનશે ભારત
જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 પ્રવાસીઓનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા હતા. આ પછી ભારતે પલટવાર કરીને 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાતે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને હથિયારોના ડેપોનો નાશ કરવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે હવેથી ભારત સરહદ પારની કોઈપણ આતંકવાદી ઘટનાને એક્ટ ઓફ વોર માનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.