બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 PM, 21 April 2025
Randeep Hooda met PM Modi : બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રણદીપ હુડા હાલમાં ફિલ્મ 'જાટ'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. દરમિયાન, રણદીપ તાજેતરમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. આ દરમિયાન તેમની માતા આશા હુડ્ડા અને બહેન અંજલિ હુડ્ડા પણ તેમની સાથે હાજર હતા. હવે રણદીપે પોતે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે, આ સમય દરમિયાન રણદીપની પત્ની લિન લૈશરામ ક્યાંય દેખાતી ન હતી. જેને જોઈને લોકો જુદી જુદી વાતો કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે રણદીપ અને લિને નવેમ્બર 2023 માં મણિપુરમાં લગ્ન કર્યા હતા.
ADVERTISEMENT
રણદીપ હુડ્ડાએ પીએમ મોદી સાથેના ફોટા શેર કર્યા
રણદીપે લખ્યું કે, "ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળવું મારા માટે ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત હતી. આપણા મહાન રાષ્ટ્રના ભવિષ્ય વિશેના તેમના વિચારો, જ્ઞાન અને દ્રષ્ટિકોણ હંમેશા આપણને પ્રેરણા આપે છે. જ્યારે તેમણે મારી પીઠ થપથપાવી, ત્યારે મને મારા ક્ષેત્રમાં વધુ સારું કામ કરવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવાની પ્રેરણા મળી. અમે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશે વાત કરી. આ સાથે, અમે ફિલ્મોમાં સત્ય વાર્તાઓની શક્તિ અને ભારત સરકારના નવા OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ WAVES વિશે પણ ચર્ચા કરી. આનાથી વૈશ્વિક સ્તરે ભારતીય અવાજને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત દરમિયાન મારી માતા આશા હુડ્ડા અને બહેન ડૉ. અંજલિ હુડ્ડા પણ મારી સાથે હતા. આ અમારા પરિવાર માટે ગર્વની ક્ષણ હતી. બંનેએ પ્રધાનમંત્રીની કેટલીક આરોગ્ય સંબંધિત યોજનાઓ જેવી કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, પોષણ અભિયાન, ખેલો ઇન્ડિયા વિશે પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું."
ADVERTISEMENT
સ્થુળતા અંગે ચર્ચા કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ખોરાકમાં તેલનો ઉપયોગ ઘટાડવા અને સ્થૂળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્થૂળતાનો સામનો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા સેલેબ્સે પ્રધાનમંત્રી મોદીના આ શબ્દોને સમર્થન આપ્યું.
રણદીપની ફિલ્મે આટલી કમાણી કરી
ફિલ્મ 'જાટ' ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી. તેમાં સની દેઓલ અને રણદીપ હુડ્ડા સાથે રામ્યા ક્રિષ્નન, રેજીના કેસાન્ડ્રા, વિનીત કુમાર સિંહ, સૈયામી ખેર, જગપતિ બાબુ, પ્રશાંત બજાજ, ઝરીના વહાબ, પી રવિશંકર અને બબલૂ પૃથ્વીરાજ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતું. તેણે ૧૧ દિવસમાં કુલ ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે તેના ખર્ચના માત્ર ૬૭ ટકા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તે પોતાના બજેટને રિકવર કરવામાં કેટલું સફળ થાય છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં 'જાટ 2' ની જાહેરાત કરી છે. આ ફિલ્મની સિક્વલમાં સની દેઓલ અને દિગ્દર્શક ગોપીચંદ માલિનીની વાપસી જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.