બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પાકિસ્તાનના ઇરાદા પાણી ફરી વળશે! ભારત-પાક. બોર્ડર નજીકના વિસ્તારમાં સિમેન્ટ અને મશીનો પહોંચી
Last Updated: 10:00 PM, 5 May 2025
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સૈનિકો પણ મુંહતોડ જવાબ આપી રહ્યા છે. દરમિયાન લોકોની સુરક્ષા માટે બંકરો બનાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર જોવા મળી રહી છે. પાકિસ્તાન સતત સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે અને અહીં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. જમ્મુના સાંબા જિલ્લામાં આવા લગભગ એક ડઝન બંકરો બનાવવામાં આવી રહ્યા છે, જે ફક્ત સરહદથી થોડા કિલોમીટર દૂર જ નથી પરંતુ તે એવા વિસ્તારોમાં પણ બનાવવામાં આવી રહ્યા છે જ્યાં વસ્તી વધુ છે.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરે શું કહ્યું?
ADVERTISEMENT
સાંબા જિલ્લામાં બંકરો બનાવી રહેલા કોન્ટ્રાક્ટર કહે છે કે તે હાલમાં આ કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે અને લગભગ 15 દિવસમાં એક બંકર તૈયાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ બનાવીને તેઓ પાકિસ્તાન તરફથી થતા કોઈપણ પ્રકારના ગોળીબારનો સામનો કરી શકે છે અને તેમાં રહેતા લોકોના જીવ સરળતાથી બચાવી શકાય છે.
તેમણે વધુમાં કહ્યું, "છતથી લઇને દિવાલો લગભગ એક ફૂટ જાડી છે. તે ઈંટો અને સિમેન્ટની મદદથી બનાવવામાં આવી રહી છે. આ દિવાલો અને છત બનાવવા માટે સૌથી જાડા લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ બંકરોને એટલી ક્ષમતા આપી શકાય કે તેઓ પાકિસ્તાન તરફથી થતા કોઈપણ હુમલાનો સામનો કરી શકે."
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં સરહદ પર આવા 12 બંકર બનાવવામાં આવી રહ્યા છે, આ બંકર એવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે જ્યાં હાલમાં લોકોના જીવ બચાવવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેમનો દાવો છે કે દરેક બંકરમાં બે રૂમ અને એક શૌચાલય છે. આ ઉપરાંત અહીં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દરેક બંકરમાં લગભગ 50 લોકો રહી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોટા સમચાર, ગૃહ મંત્રાલયે અનેક રાજ્યોને આપ્યો નિર્દેશ
બંકર પહેલાથી જ બનાવવામાં આવી ચૂક્યા છે
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનને અડીને આવેલી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવા હજારો બંકર બનાવવામાં આવી ચૂક્યા છે, જે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સામાન્ય લોકોના જીવ બચાવી શકે છે. 22 એપ્રિલે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો હવે સરકાર પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.