બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / પહેલગામ હુમલા બાદ ભારત માટે આવનારો સમય કેવો રહેશે? વિશેષ ગ્રહસ્થિતિ લાવશે પરિવર્તન, યુદ્ધની શક્યતા કેટલી?
Last Updated: 09:18 AM, 4 May 2025
પહેલગામમાં થયેલા જઘન્ય હુમલા બાદ આખા દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાની ભાવના તોળાઈ રહી છે. પાનના ગલ્લાથી પાર્લામેન્ટ સુધી સરકાર પર પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવાનું પ્રેશર છે. બીજી તરફ સરકાર પણ ડિજીટલ સ્ટ્રાઈકથી લઈને સૈન્યને છૂટ આપવા સુધીની કાર્યવાહી કરી રહી છે. પરંતુ હજી કોઈ સૈન્ય કાર્યવાહી થઈ નથી. બીજી તરફ રોજેરોજ જનતા માની રહી છે કે મોદી સરકાર કોઈ તો મોટી સૈન્ય કાર્યવાહી કરશે જ. ત્યારે આપણે જ્યોતિષાચાર્ય પાસેથી, ગ્રહ નક્ષત્ર પ્રમાણે જાણીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં.
ADVERTISEMENT
જ્યોતિષવિદોનું માનવું છે કે 2025નું વર્ષ વિશેષ ગ્રહસ્થિતિઓના કારણે અનેક પરિવર્તનો લાવનારું બની શકે છે. તેમના કહેવા પ્રમાણે, આ મહિનાની શરૂઆતમાં જ શુક્ર મીન રાશિમાં આવી રહ્યો છે. જેના કારણે પણ અનેક ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ માર્ચ મહિનામાં 30 વર્ષ બાદ મીન રાશિમાં શનિના ગોચર બાદ સૂર્ય-શનિની યુતિ થશે. જેથી મોટા ફેરફારો થવાની શક્યતા છે. 14 માર્ચે ગ્રહોના રાજા સૂર્યએ મીન રાશિમાં પ્રવેશ કર્યો અને 29 માર્ચે શનિદેવે પણ મીનમાં ગોચર કર્યું. જેના કારણે એક જ મહિનામાં ગ્રહોની આ હિલચાલના કારણે તમામ રાશિના જાતકો પર તો અસર થશે જ સાથે દુનિયામાં પણ અનેક આશ્ચર્યજનક અસર જોવા મળશે. જો કે માર્ચ મહિનામાં શુભ ગ્રહોની ગોચર સ્થિતિના કારણે અત્યંત શુભ અને લાભકારી ફળ પણ મળી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદના પ્રખ્યાત જ્યોતિષ સોનલ ધામીના જણાવ્યા અનુસાર,"આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ તો નહીં સર્જાય, પરંતુ દુશ્મન દેશ પર જીવન-જરૂરિયાતની વસ્તુઓને લક્ષ્ય બનાવીને ભારત હુમલો કરી શકે છે. સાથે આપણા વડાપ્રધાને ભારતીય સેનાને દરેક પ્રકારની છૂટ આપી દીધી છે, જેથી ખાસ કરીને એરફોર્સ અને આર્મી એક નિશ્ચિત સ્તર સુધી કાર્યવાહી કરી શકે છે, જેની દેશ પર અસર થવાની શક્યતા છે. અંકશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો, ગ્રહોની પરિસ્થિતિને કારણે આ વર્ષ દેશ માટે થોડુંક મુશ્કેલ બની શકે છે, એટલે કે રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં અસર થવાની શક્યતા છે."
ભારતના આવનારા ભવિષ્યની વાત કરતાં જ્યોતિષશાસ્ત્રી રાજેન્દ્ર રધુનાથ દવેનું કહેવું છે કે,"2025 વર્ષ ભારત માટે થોડું સંઘર્ષભર્યું રહી શકે છે, કારણ કે આ વર્ષે ઘણા મહત્ત્વના ગ્રહો પોતપોતાનું સ્થાન બદલશે, જેના કારણે દેશ પર વિભિન્ન પ્રકારની અસર થવાની સંભાવના છે. ખાસ કરીને કુદરતી આફતોમાં વધારો થવાનું જોખમ રહી શકે છે. જો કે, જ્યોતિષશાસ્ત્રી રાજેન્દ્ર રધુનાથ દવેએ એમ પણ કહ્યું કે દરેક દેશ પર તેની રાશિ અનુસાર અસર થાય છે. ભારત ધન રાશિમાં આવે છે, જેના કારણે લાંબા ગાળે દેશનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે."
જ્યોતિષશાસ્ત્ર એક દૃષ્ટિકોણ છે, વિજ્ઞાન નહીં. પરંતુ આપણી સંસ્કૃતિમાં આનું એક વિશેષ સ્થાન છે. હાલની ઘટના અને ગ્રહોની ચાલ મુજબ, યુદ્ધની સીધી શક્યતા ઓછી જણાય છે, પણ આંતરરાષ્ટ્રીય મંચે તણાવ અને રાજકીય દબાણ વધી શકે છે. ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે જવાબ આપશે અને પોતાની સુરક્ષા અને અખંડિતતાને અડચણ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખે છે એવી શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.