બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:43 AM, 10 May 2025
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમા પર છે. ગુરુવાર પછી, શુક્રવાર મોડી સાંજથી જ, પાકિસ્તાને ભારતના 26 શહેરોમાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને સતત ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય ડિફેન્સ સિસ્ટમ દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા. આ દરમિયાન, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે ભારતે છ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. પાકિસ્તાને આને ભારતનું બેજવાબદાર કૃત્ય ગણાવ્યું છે. જે બાદ પાકિસ્તાને એરબેઝ બંધ કરી દીધું અને NOTAM જારી કર્યું છે. જોકે, ભારત સરકાર દ્વારા હજુ સુધી આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
પાકિસ્તાની સેનાએ શું કહ્યું?
એક અહેવાલમાં પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ, ISPR ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીને ટાંકીને જણાવાયું કે ભારત તરફથી છ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. આ મિસાઇલો ભારત દ્વારા જાલંધરના આદમપુર એરબેઝ પરથી છોડવામાં આવી હતી. જનરલ અહેમદે ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે અને તેને બેજવાબદાર અને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. જો ભારતનું આ આક્રમક વલણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ તંગ બનશે.
ADVERTISEMENT
પાકિસ્તાને બંધ કરી એર સ્પેસ
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાવલપિંડી અને રફીકી એરબેઝ પર થયેલા વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ફિરોઝપુરના રહેણાંક વિસ્તારમાં પડ્યું પાકિસ્તાની ડ્રોન, બે લોકો ઘાયલ, જુઓ વીડિયો
પાકિસ્તાની એરબેઝ પર બ્લાસ્ટ
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ત્રણ એરબેઝ પર હુમલો કર્યો છે. રાવલપિંડી, ઇસ્લામાબાદ અને લાહોરમાં અનેક મોટા વિસ્ફોટોના અહેવાલો આવ્યા છે, જેના પડઘા દૂર દૂર સુધી અનુભવાયા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. પંજાબ પ્રાંતના શોરકોટના ઝંગમાં રફીકી એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. ચકવાલમાં મુરીદ બેઝ પાસે વિસ્ફોટ થયાના પણ અહેવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.