બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતે છોડી છ બેલિસ્ટિક મિસાઇલો, પાકિસ્તાનના 3 એરબેઝ પર બ્લાસ્ટ - PAK આર્મીનો દાવો

ઓપરેશન સિંદૂર / ભારતે છોડી છ બેલિસ્ટિક મિસાઇલો, પાકિસ્તાનના 3 એરબેઝ પર બ્લાસ્ટ - PAK આર્મીનો દાવો

Last Updated: 06:43 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor: પાકિસ્તાને શુક્રવાર ભારતના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યો, જેને ભારતીય સેનાએ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને નિષ્ફળ કરી દીધો. હવે પાકિસ્તાને ભારત પર છ બેલિસ્ટિક મિસાઇલો છોડવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય સેના એલર્ટ મોડ પર છે.

India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમા પર છે. ગુરુવાર પછી, શુક્રવાર મોડી સાંજથી જ, પાકિસ્તાને ભારતના 26 શહેરોમાં વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને સતત ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય ડિફેન્સ સિસ્ટમ દ્વારા સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યા. આ દરમિયાન, પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે ભારતે છ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. પાકિસ્તાને આને ભારતનું બેજવાબદાર કૃત્ય ગણાવ્યું છે. જે બાદ પાકિસ્તાને એરબેઝ બંધ કરી દીધું અને NOTAM જારી કર્યું છે. જોકે, ભારત સરકાર દ્વારા હજુ સુધી આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

પાકિસ્તાની સેનાએ શું કહ્યું?

એક અહેવાલમાં પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ, ISPR ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીને ટાંકીને જણાવાયું કે ભારત તરફથી છ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે. આ મિસાઇલો ભારત દ્વારા જાલંધરના આદમપુર એરબેઝ પરથી છોડવામાં આવી હતી. જનરલ અહેમદે ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે અને તેને બેજવાબદાર અને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. જો ભારતનું આ આક્રમક વલણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ તંગ બનશે.

Vtv App Promotion

પાકિસ્તાને બંધ કરી એર સ્પેસ

ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બપોરે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાવલપિંડી અને રફીકી એરબેઝ પર થયેલા વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફિરોઝપુરના રહેણાંક વિસ્તારમાં પડ્યું પાકિસ્તાની ડ્રોન, બે લોકો ઘાયલ, જુઓ વીડિયો

પાકિસ્તાની એરબેઝ પર બ્લાસ્ટ

પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ત્રણ એરબેઝ પર હુમલો કર્યો છે. રાવલપિંડી, ઇસ્લામાબાદ અને લાહોરમાં અનેક મોટા વિસ્ફોટોના અહેવાલો આવ્યા છે, જેના પડઘા દૂર દૂર સુધી અનુભવાયા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. પંજાબ પ્રાંતના શોરકોટના ઝંગમાં રફીકી એરબેઝ પાસે વિસ્ફોટ થયો છે. ચકવાલમાં મુરીદ બેઝ પાસે વિસ્ફોટ થયાના પણ અહેવાલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News India-Pakistan Tension Operation Sindoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ