બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:36 PM, 10 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે. શુક્રવાર અને શનિવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસવાની હિંમત કરી. ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) અને સેનાએ બંને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અંગે ફરીથી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી.
ADVERTISEMENT
આ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક પગલાં લઈ રહ્યું છે. આ પ્રેસ બ્રીફિંગમાં સેનાએ કહ્યું કે અમે પાકિસ્તાનના તમામ હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે.
ADVERTISEMENT
ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા શ્રીનગરથી નલિયા સુધી કરવામાં આવેલા ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કર્યા#indiapakistanwar #OperationSindoor #OperationSindoor2 #BIGBREAKING #indiaattackpakistan #IndiaPakistanConflict #IndiaPakistanTensions #indianarmy #VTVDigital pic.twitter.com/loCh9xSf12
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2025
ત્યારે આજે યોજાયેલી પ્રેસ બ્રીફિંગ પરથી કુલ 10 મુદ્દામાં સમજીએ કે કેવી રીતે આ ઓપરેશન સિંદૂર ના 4થા દિવસે સેનાએ મિશન પાર પાડ્યું .
'પાકિસ્તાની સેનાએ શ્રીનગરથી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2025
નલિયા સુધી 26થી વધુ સ્થળોએ
હવાઇ વિસ્તારથી ઘૂસવાનો પ્રયાસ કર્યો'
કર્નલ સોફિયા કુરૈશીએ PCમાં જણાવ્યું#Delhi #ColonelSofiyaQureshi #SofiyaQureshi #Pakistaniarmy #Indianairspace #DroneAttack #indiapakistanwar #OperationSindoor #OperationSindoor2… pic.twitter.com/v0Zyueke4u
1.સેનાએ આ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. યુ-કેબ ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો અને ફાઇટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતના લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. નિયંત્રણ રેખા પર પણ ડ્રોન ઘૂસણખોરી કરવામાં આવી હતી. ભારે હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
2.શ્રીનગરથી નલિયા સુધી નિયંત્રણ રેખા પર 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બધા હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા.
3.વાયુસેના સ્ટેશન ઉધમપુર, પઠાણકોટ, આદમપુર, ભૂજ, ભટિંડા સ્ટેશનોને સાધનો અને કર્મચારીઓને નુકસાન થયું હતું. પાકિસ્તાને સવારે 1:40 વાગ્યે પંજાબના એરબેઝ સ્ટેશન પર હાઇ-સ્પીડ મિસાઇલ છોડવાનો પ્રયાસ કર્યો.
4.પાકિસ્તાને શ્રીનગર, અવંતિપુર અને ઉધમપુરમાં વાયુસેનાના ઠેકાણાઓ પર તબીબી કેન્દ્રો અને શાળા પરિસરને નિશાન બનાવ્યું.
5.પાકિસ્તાને ખોટી માહિતી ફેલાવી. આદમપુર S 400 સિસ્ટમ, સુરતગઢ અને સિરસા એરપોર્ટ, નાગરોટા બ્રહ્મોસ બેઝ, ચંદીગઢ દારૂગોળો કેન્દ્રના વિનાશ અંગે અફવાઓ ફેલાવવામાં આવી છે. ભારત આ વાતનો ઇનકાર કરે છે.
6.આગળના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાની તૈનાતી વધી રહી હોય તેવું લાગે છે. આ પરિસ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાનની કાર્યવાહીનો સંપૂર્ણ સંયમ સાથે યોગ્ય જવાબ આપ્યો છે.
7.ભારતે ખૂબ જ સુનિયોજિત હુમલો કર્યો. રડાર સ્થળો અને શસ્ત્રોના ડેપો પસંદ કરવામાં આવ્યા અને ચિહ્નિત કરવામાં આવ્યા. હવાઈ પ્રક્ષેપણ અને લડાયક વિમાનોએ રફીકી, મુરીદ, ચકલાલા, રહેમાનયાર ખાન, શુકુર, ચુનિયામાં પાકિસ્તાની સૈન્ય મથકો પર હુમલો કર્યો.
8.ભારતીય સેના દ્વારા પાસુર રડાર સાઇટ અને સિયાલકોટ એવિએશન બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન સુનિશ્ચિત થયું.
9.લાહોરથી ઉડતા નાગરિક વિમાનોની આડમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો. જેથી તેઓ પોતાની પ્રવૃત્તિઓ છુપાવી શકે.
10.ભારતે જવાબમાં પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો, જેમાં ચાર એરબેઝને નિશાન બનાવ્યા.
ભુજ સહિત ગુજરાત બહારના આ વિસ્તારોને પણ નાપાક પાકિસ્તાને કર્યા ટાર્ગેટ#indiapakistanwar #OperationSindoor #OperationSindoor2 #BIGBREAKING #indiaattackpakistan #IndiaPakistanConflict #IndiaPakistanTensions #indianarmy #VTVDigital pic.twitter.com/ncNYECF82t
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2025
આ પણ વાંચો: 'શ્રીનગરથી નલિયા સુધી પાકિસ્તાને...', દુશ્મન દેશની ઘૂસણખોરીને લઇ ભારતીય સેનાનો ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાન જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે : વિક્રમ મિશ્રી
વિક્રમ મિશ્રીએ કહ્યું, છેલ્લા 2-3 દિવસમાં પાકિસ્તાનની પ્રવૃત્તિઓને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે, જેના જવાબમાં ભારત જવાબદારીપૂર્વક જવાબ આપી રહ્યું છે. ભારતમાં તેની પ્રવૃત્તિઓ વિશે પાકિસ્તાનના દાવા જૂઠાણા, ખોટી માહિતી અને પ્રચાર પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.