બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત

નેશનલ / પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, અનંતનાગમાં 175 શંકાસ્પદોની અટકાયત

Last Updated: 04:24 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahelgam Terror Attack Update : સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઇલ વાહન ચેક પોસ્ટ્સ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે.

Jammu and Kashmir : પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયે શોધખોળ અને ઘેરાબંધી અભિયાન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દિવસ-રાત ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 175 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને સહાયતા આપતા નેટવર્કને તોડી પાડવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે અમે કોઈપણ સંભવિત આતંકવાદી ઉપસ્થિતિને સમાપ્ત કરવા અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અમારા સાજેદાર સુરક્ષા દળો સાથે મળીને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અનંતનાગ પોલીસ જિલ્લામાં શાંતિ જાળવવા અને સામાન્ય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવા વિનંતી

સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઇલ વાહન ચેક પોસ્ટ્સ (MVCPs) સ્થાપિત કરવામાં આવી છે. જાહેર સહયોગ માંગવામાં આવ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સલાહ આપવામાં આવી છે.

high-alert1

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામના બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષા દળોએ પોતાની સતર્કતા વધારી દીધી છે. પોલીસે પેટ્રોલિંગ અને એંબુશ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધા છે, ખાસ કરીને ગાઢ જંગલ વિસ્તારોમાં જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે છે.

આ પણ વાંચોઃ નેશનલ / દિલ્હી AIIMSમાં મહિલા દર્દીઓ માટે નવું ફરમાન, હવે ટેસ્ટ માટે પૂરી કરવી પડશે આ શરતો

પૂંછ-રાજૌરી સેક્ટરમાં પણ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર

દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગરની મુલાકાત લીધી હતી. જનરલ દ્વિવેદીને જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી તેમજ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

national News Jammu and Kashmir alert Pahelgam Terror Attack Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ