બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઓપરેશન સિંધુ: ભારતે પોતાના લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા
Priykant Shrimali
Last Updated: 09:16 AM, 19 June 2025
Israel-Iran War : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.
ADVERTISEMENT
#WATCH | Delhi | "..The situation there (Iran) is bad, and people are scared. The (Indian) government literally evacuated us from our doors; we didn't even expect this much. They helped us at every step, no one faced any problem, and we are grateful to the central government for… pic.twitter.com/OhiJyM9LHQ
— ANI (@ANI) June 19, 2025
વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Delhi | "...We are happy as we didn't expect that we would be back, such is the condition there (in Iran)... I hope the war will end soon, as our studies will also be completed, and Iran won't have to suffer too much. I am very thankful to the Indian government for the… pic.twitter.com/1VXHbOznst
— ANI (@ANI) June 19, 2025
એરપોર્ટ પર માતા-પિતા રાહ જોતા જોવા મળ્યા
ADVERTISEMENT
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકરનો સ્થળાંતર પ્રયાસો શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે, બાકીના તમામ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે. કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતા એરપોર્ટની બહાર તેમના બાળકોની ઉત્સુકતાથી રાહ જોતા જોવા મળ્યા હતા.
#WATCH | Delhi | "...We thank the Indian Embassy for evacuating us at the right time, but we have one more appeal: that all of our brothers and sisters who are stranded in Isfahan and Tehran be evacuated as soon as possible, as the situation is so critical there," says an Indian… pic.twitter.com/9BhFzrGbs2
— ANI (@ANI) June 19, 2025
ADVERTISEMENT
આ દરમિયાન 21 વર્ષીય માઝ હૈદરના પિતા હૈદર અલીએ બચાવ પ્રયાસો માટે ભારત સરકારનો આભાર માન્યો. માઝ હૈદર ઈરાનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. પિતાએ કહ્યું, અમે ખૂબ ખુશ છીએ. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવામાં આવ્યા છે. અમે આ માટે ભારત સરકારનો આભાર માનીએ છીએ. પરંતુ અમને દુઃખ છે કે, જે વિદ્યાર્થીઓ હજુ પણ તેહરાનમાં ફસાયેલા છે તેમને હજુ સુધી બહાર કાઢવામાં આવ્યા નથી. તેમણે સરકારને અપીલ કરી કે, તેહરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જલ્દી બહાર કાઢવામાં આવે.
ADVERTISEMENT
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
A student evacuated from Iran, says, "I am a final year MBBS student at Urmia University... We saw drones and missiles. We were scared... We are happy to return to India and are very thankful to… pic.twitter.com/Fuahu2XdG0
ADVERTISEMENT
હવે જાણો આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ?
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચાડ્યો છે. તાજેતરના હુમલાઓ અને બદલાના કારણે આ પ્રદેશમાં ભારે વિનાશ થયો છે જેના કારણે નાગરિકો અને વિદેશી નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત ઘણા વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે. આ સંઘર્ષને કારણે ભારત સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી છે.
Operation Sindhu begins 🇮🇳.
— Randhir Jaiswal (@MEAIndia) June 18, 2025
India launched Operation Sindhu to evacuate Indian nationals from Iran. India evacuated 110 students from northern Iran who crossed into Armenia under the supervision of our Missions in Iran and Armenia on 17th June. They departed from Yerevan on a… pic.twitter.com/8WJom7wh5f
શું છે ઓપરેશન સિંધુ ?
ઓપરેશન સિંધુ એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખાસ રાહત કામગીરી છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે અને સ્થાનિક પરિસ્થિતિ અસ્થિર બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.