બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 AM, 15 May 2025
મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી.
ADVERTISEMENT
#IndianArmy#EasternCommand
— EasternCommand_IA (@easterncomd) May 14, 2025
Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, #Chandel District near the #Indo_MyanmarBorder, #AssamRifles unit under #SpearCorps launched an operation on 14 May 2025.
During the operation,… pic.twitter.com/KLgyuRSg11
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડે જણાવ્યું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતાલ ગામમાં આ ઓપરેશન લોન્ચ કર્યું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે.
ADVERTISEMENT
સેનાએ ટ્વિટ કરીને માહિતી આપી
સેનાના જણાવ્યા અનુસાર, "ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે." સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનને 'કેલિબ્રેટેડ' એટલે કે આયોજનબદ્ધ અને સટીક ગણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ 23 મિનિટ કરી જામ, મોટા ખુલાસાથી દુનિયામાં ડંકો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.