બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..', ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન

જવાબ / 'અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..', ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન

Last Updated: 11:36 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India And China: ભારતે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. ભારતે બુધવારે કહ્યું હતું કે આવા વાહિયાત પ્રયાસો છતાં, આ નિર્વિવાદ સત્ય બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે. જોકે, ચીન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ તિબેટનો દક્ષિણ ભાગ છે.

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો અને તેને વાહિયાત ગણાવ્યું.

ભારતે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. ભારતે બુધવારે કહ્યું હતું કે આવા વાહિયાત પ્રયાસો છતાં, આ નિર્વિવાદ સત્ય બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે. જોકે, ચીન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ તિબેટનો દક્ષિણ ભાગ છે.

નામ બદલાવનનો પ્રયત્ન વ્યર્થ અને વાહિયાત: MEA

ભારતે ઉપરોક્ત ટિપ્પણી ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળો માટે નવા નામોની જાહેરાત પર કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે જોયું છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોના નામ બદલવાનો વ્યર્થ અને વાહિયાત પ્રયાસ કર્યો છે."

Vtv App Promotion 1

તેમણે વધુમાં કહ્યું, "અમે અમારા સિદ્ધાંતના વલણ અનુસાર આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ." આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં રણધીર જયસ્વાલે કહ્યું, "રચનાત્મક નામકરણ એ નિર્વિવાદ વાસ્તવિકતાને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે."

વધુ વાંચો: ભારતમાં કેવી રીતે થાય છે CJIની નિમણૂક?, સેલેરીથી લઈને કેટલી મળે છે સુવિધા, જાણો

અરુણાચલ પ્રદેશને માને છે પોતાનો ભાગ

જોકે, ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો ડોયવો કરતું રહે છે અને તેને ઓપટનો ભાગ માને છે. આ કરુણાચલના લોકોને ચીન આવવા માટે વિઝા પણ નથી આપતું, તેનું કહેવું છે કે  તે ચીનનો ભાગ છે, એવામાં તેમને વિઝાની જરૂર નથી. ગત વર્ષે પણ ચીને અરુણાચલના અલગ-અલગ સ્થળોના 30 નવા નામનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેને ત્યારે ભારતે નકારી દીધું હતું.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India And China National News Arunachal Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ