બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પત્નીએ પતિને ઉંદરડાની જેમ મારી નાખ્યો અને પછી મૃતદેહ સાથે જે કર્યું તમે કહેશો ઘોર કળિયુગ
Last Updated: 06:06 PM, 18 April 2025
બરેલીમાં, પત્નીએ તેના પ્રેમી પિન્ટુની મદદથી, આયોજનબદ્ધ રીતે, તેના પતિ કેહર સિંહને ચામાં ઉંદર મારવાનું ઝેર આપ્યું અને પછી તેના શરીરને બંધ રૂમમાં દોરડાથી લટકાવી દીધું. આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
ADVERTISEMENT
પ્રેમી સાથે મળી કરી હત્યા
UP News : મેરઠ બાદ હવે બરેલીમાં પણ પતિની હત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આક્ષેપ છે કે, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિને ઉંદર મારવાની ઝેરીદવા આપ્યા બાદ તેના મૃતદેહને દોરડા સાથે લટકાવીદીધો હતો. આપઘાતનું તરકટ રચ્યું હતું. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
યુવાનના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક
આ સમગ્ર મામલો બરેલીના ફતેહગંજ પશ્ચિમ નગર પંચાયતનો છે. કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર તરીકે કામ કરતા યુવાનની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આક્ષેપ છે કે, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની યોજનાબદ્ધ રીતે હત્યા કરી હતી. જો કે, ગ્રામીણ એસપી મુકેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, કેહર સિંહ (35) નામના વ્યક્તિનો મૃતદેહ તેના ઘરે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવી હતી. દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેની પત્નીએ પતિનો મૃતદેહ જોયો તો લોકોએ દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો. જો કે મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મૃતકની પત્ની અને તેના પ્રેમી પિન્ટુનું નામ લેવામાં આવ્યું હતું. પોલીસે બંનેને જેલમાં મોકલી દીધા છે. પત્નીએ ચામાં ઉંદર મારવાનું ઝેર ભેળવ્યાની કબૂલાત કરી છે. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : VIDEO: રસ્તાની વચ્ચે ખુરશી ગોઠવી ચાની ચુસ્કી માણી, પછી પોલીસે યુવકની કરી સરભરા, જુઓ વીડિયો
ફાંસીથી લટકતી લાશ મળી
સાંજે નગર પંચાયત કચેરી પાછળ ઠાકુરદ્વારા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કેહરપાલનો મૃતદેહ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. લોકોએ દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના નિશાન હોવાનું બહાર આવ્યું છે.
પત્ની મેડિકલ કોલેજમાં નોકરી કરતી હતી
પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું કે, કેહરપાલની પત્ની તેની મરજી વિરુદ્ધ મેડિકલ કોલેજમાં કામ કરતી હતી. બુલંદશહેરનો રહેવાસી પિન્ટુ નામના એક યુવાન સાથે તેને આડા સંબઁધો પણ હતા. બંન્ને આ મેડિકલ કોલેજમાં સાથે કામ કરતા હતા. બંન્ને મેડિકલ કોલેજની કેન્ટીનમાં સાથે કામ કરતા હતા. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે, જ્યારે કેહરપાલને બંને વચ્ચેના લગ્નબાહ્ય સંબંધો અંગે માહિતી મળી તો તેણે તેનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : એવું તે શું થયું કે NCERTના પુસ્તકો પર છંછેડાયો વિવાદનો મધપૂડો? જાણો વિગત
રોજ ઝઘડા થતા હતા
પોલીસ પૂછપરછ દરમિયાન લોકોએ જણાવ્યું કે, કેહરપાલ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ ઘરમાંથી ઝઘડાના અવાજો સંભળાયા હતા. પોલીસને શંકા છે કે આ સમય દરમિયાન, ષડયંત્રના ભાગ રૂપે પહેલા ઉંદર મારવાની ઝેરી દવા આપવામાં આવી અને ત્યાર બાદ તેના મૃતદેહને લટકાવી દેવામા આવ્યો હોઇ શકે છે.
थाना फतेहगंज पश्चिमी, बरेली क्षेत्रांतर्गत एक व्यक्ति की, उसकी पत्नी व प्रेमी द्वारा हत्या कर देने व घटना कारित करने वाले दोनों अपराधियों को गिरफ्तार कर की जा रही नियमानुसार कार्यवाही के संबंध में श्री मुकेश चन्द्र मिश्र, अपर पुलिस अधीक्षक उत्तरी, बरेली की बाइट। #UPPolice pic.twitter.com/GTEsNxknCP
— Bareilly Police (@bareillypolice) April 18, 2025
આડાસંબંધોના કારણે હત્યા
પોલીસનું કહેવું છે કે, આ મામલો ઘરેલુ વિવાદ અને લગ્નબાહ્ય સંબંધોને કારણે હત્યાનો છે. મૃતકના ભાઈની ફરિયાદ પર પત્ની અને તેના પ્રેમી પિન્ટુ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.