બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'હું દિલ્હીમાં રહું છું પણ કાન તો..આ બે રાજ્યોમાં NDA સરકાર બનશે', ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર

નેશનલ / 'હું દિલ્હીમાં રહું છું પણ કાન તો..આ બે રાજ્યોમાં NDA સરકાર બનશે', ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર

Last Updated: 08:01 PM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને તેમની પાર્ટી ડીએમકે પર કામકાજ દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે.

Tamil Nadu: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને તેમની પાર્ટી ડીએમકે પર કામકાજ દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. મદુરાઈમાં એક રેલીને સંબોધતા શાહે ડીએમકે સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગડબડીઓનો ઉલ્લેખ કર્યો અને એવો પણ દાવો કર્યો કે 2026 માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ભાજપની સરકાર બનશે.

amit-shah-2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મદુરાઈમાં આયોજિત એક સભામાં વર્તમાન તમિલનાડુ સરકાર ડીએમકે પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષના કાર્યકાળમાં ડીએમકે ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચૂક્યું છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી 450 કરોડ રૂપિયાની પોષણ કીટ ખાનગી કંપનીને સોંપીને ગરીબોને ખોરાકથી વંચિત રાખવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તમિલનાડુમા લાગેલા રહે છે. અહીંના મુખ્યમંત્રી કહે છે કે અમિત શાહ ડીએમકેને હરાવી શકતા નથી. સ્ટાલિન સાહેબ તમે સાચુ કહો છો, હું ડીએમકેને હરાવી શકતો નથી, પરંતુ તમિલનાડુના લોકો ડીએમકેને હરાવી શકે છે."

અમિત શાહે દાવો કર્યો હતો કે ડીએમકે સરકાર પર 4600 કરોડ રૂપિયાના ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડનો પણ આરોપ છે, જેની સીધી અસર રાજ્યના ગરીબો પર પડી હતી અને તેમને મોંઘી રેતી ખરીદવી પડી હતી જેથી પાર્ટી નફો કમાઈ શકે. આ સાથે તેમણે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) કૌભાંડનો પણ મુદ્દો ઉઠાવ્યો, જેમાં રાજ્ય પર 39,000 કરોડ રૂપિયાનું નુકસાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે આ રકમ તમિલનાડુની દરેક શાળામાં બે વધારાના રૂમ બનાવવા માટે ખર્ચી શકાતી હતી.

Vtv App Promotion 2

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર રોક લગાવી હતી

નોંધનીય છે કે ગયા મહિને તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ રોકથામ કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર રોક લગાવી હતી. સરકારે તેને કેન્દ્રીય એજન્સીની સત્તાનો દુરુપયોગ અને બંધારણની વિરુદ્ધ ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વાયરલ વીડિયો / 'દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો..'! વરરાજો લગ્નના દિવસે જ ફેલ, દુલ્હનનું થયું મૂડ ઓફ

ચૂંટણી વચનોના 60 ટકા પણ પૂરા થયા નથી - અમિત શાહ

અમિત શાહે કહ્યું, "મારી પાસે એમકે સ્ટાલિન સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની લાંબી યાદી છે, પરંતુ હું તેના પર વિગતવાર સમય બગાડવા માંગતો નથી." તેમણે આરોપ લગાવ્યો કે સ્ટાલિન સરકારે તેના 60 ટકા પણ ચૂંટણી વચનો પૂરા કર્યા નથી. તેમણે સ્ટાલિનને પડકાર ફેંકતા કહ્યું, "તમે જનતાને કહો કે તમે કેટલા વચનો પૂરા કર્યા છે."

રાજકીય વિશ્લેષકોના મતે અમિત શાહનો આ હુમલો આગામી ચૂંટણી પહેલા પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યમાં સરકાર બનાવવાના ભાજપના ઇરાદાને પણ સ્પષ્ટ કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tamil Nadu Amit Shah West Bengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ