બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ એલર્ટ! કહ્યું, ''અધિકારીઓ ચિંતિત છે કે...''

સતર્ક / ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ એલર્ટ! કહ્યું, ''અધિકારીઓ ચિંતિત છે કે...''

Priyankka Triveddi

Last Updated: 03:10 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને વિશેષ સાવધાની રાખવા માટે એક ખાસ પત્ર પાઠવ્યો છે. ખાસ કરીને આ સ્થિતિમાં દેશમાં સાંપ્રદાયિક હિંસાને આશંકાને પગલે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઈરાનના વડા ખામેનેઈના મૃત્યુ પછી ભારતના ઘણા શહરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

Home Ministry Alert: 28 ફેબ્રુઆરીના રોજ જારી કરવામાં આવેલા પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશમાં ચાલી રહેલી ઘટનાની અસર ભારતમાં પણ થઈ શકે છે. ખાસ કરીને ધાર્મિક આયોજનમાં કે ધર્મના નામે હિંસા બાબતે ખાસ સાવચેત રહેવા જણાવાયું છે. આ પત્રમાં એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે એક ગુપ્ત માહિતી અનુસાર સમય પહેલા જ યોગ્ય પગલાં ઉઠાવી લેવા જેથી કાનૂન અને વ્યવસ્થામાં ભંગ ના પડે.

એડવાયઝરીમાં શું કહ્યું?

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે સાવચેતીના પગલાં તેજ કર્યા છે. મંત્રાલયે સૂચના આપી છે કે ભડકાઉ ભાષણો આપતા ઈરાન સમર્થક ઉપદેશકોની ઓળખ કરી તેમની પર નજર રાખવામાં આવે. ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પ્રવચનો દ્વારા સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ન થાય તે માટે સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા જણાવ્યું છે. એ મીડિયા અહેવાલ મુજબ દિલ્હીના અધિકારીઓને પણ ચિંતા છે કે કેટલીક ઉગ્રવાદી તત્વો આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો બહાનો બનાવી સ્થાનિક સ્તરે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર આપાતા ભાષણો પર કડક નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારી એડવાયઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદન, ભડકાઉ ભાષણ અથવા સમાજમાં ફૂટ પાડે તેવા સંદેશો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા પણ જણાવ્યું છે. જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને સામાજિક શાંતિ ભંગ ન થાય.

ઈરાન નહિ કરે અમેરિકા સાથે વાતચીત

એક મીડિયા અહેવાલ મુજબ ઈરાનના એક ટોચના સુરક્ષા અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેહરાન વોશિંગ્ટન સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાનના નવા નેતૃત્વ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું “તેઓ વાત કરવા માંગે છે અને હું વાત કરવા સંમત થયો છું, એટલે હું તેમની સાથે વાત કરીશ.” તેમ છતાં ઈરાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક સંદેશ આપતાં લખ્યું હતું કે, “અમે અમેરિકા સાથે વાટાઘાટો નહીં કરીએ.” આ નિવેદનો વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મૃત્યુ પછી તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકા અને ઇઝરાયલએ રવિવારે ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર ભારે હવાઈ હુમલાઓ કર્યા હતા. બેલિસ્ટિક મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવી બોમ્બમારો કરવામાં આવ્યો અને કેટલાક યુદ્ધ જહાજોનો પણ નાશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. હુમલાઓ ચાલુ રહેતાં સંઘર્ષ વધુ વિસ્તરવાની ભીતિ વધી છે. લેબનાન આધારિત ઉગ્રવાદી સંગઠન હેઝાબુલ્લાહએ કેટલાક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. જેના પરિણામે ઇઝરાયલ તરફથી બદલો લેવાની શક્યતા વધુ મજબૂત બની છે. બીજી તરફ ગલ્ફ દેશોએ પણ ચેતવણી આપી છે કે તેમના મુખ્ય ઠેકાણાઓ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ નાગરિકોના મોત થયા બાદ તેઓ ઈરાન સામે પ્રતિશોધાત્મક પગલાં લઈ શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ મધ્ય પૂર્વમાં વિશાળ સંઘર્ષનું રૂપ લે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દુબઈમાં ફસાયેલા 120 રાજસ્થાનીઓ હોળીના ગીતો પર ડાન્સ કરતા નજરે પડ્યાં, જુઓ વીડિયો

vtv app promotion

સરકાર તરફથી માર્ગદર્શનની માંગ

સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સમયસર અને સ્પષ્ટ માર્ગદર્શન સાથે સત્તાવાર માહિતી આપવામાં આવે તો ચિંતિત પરિવારોને નોંધપાત્ર માનસિક રાહત મળી શકે. અનિશ્ચિતતાના માહોલમાં અફવાઓ ઝડપથી ફેલાતી હોવાને કારણે ગભરાટ વધે છે. તેથી સચોટ અને વિશ્વસનીય માહિતીની જરૂરિયાત વધુ અનુભવી રહી છે. હાલમાં તમામ પરિવારો પોતાના સંતાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પરિસ્થિતિ વહેલી તકે સામાન્ય બની જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Law and Order Home Ministry Alert Delhi Security Concern
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ