બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '...તો હું રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ', સંવિધાનવાળા નિવેદન પર ડે.સીએમનું મોટું નિવેદન

રાજકારણ / '...તો હું રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ', સંવિધાનવાળા નિવેદન પર ડે.સીએમનું મોટું નિવેદન

Last Updated: 09:19 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિકે શિવકુમારે કહ્યું, "બીજેપી ઇન્ટરવ્યુમાં જણાવેલ સત્ય અને મારા રાજકીય વલણને પચાવી શકતું નથી. મેં ક્યાં કહ્યું કે હું બંધારણ બદલવાનો છું? જો મેં કહ્યું હોત, તો હું તે સ્વીકારી લેત. આપણે જ બંધારણ લાવ્યા છીએ અને આપણે જ તેનું રક્ષણ કરી રહ્યા છીએ."

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડિકે શિવકુમારે બીજેપી દ્વારા લગાવેલા આરોપોને નકારી દીધા છે. આ આરોપોમાં કહ્યું હતું કે ડિકે શિવકુમારે રાજ્યમાં મુસલમાનો માટે 4% આરક્ષણની વ્યવસ્થા કરવાને લઈને સંવિધાનમાં સંશોધન કરવાની કસમ ખાધી છે.

શિવકુમારે કહ્યું કે જો  આવા દાવા સાચા સાબિત થયા તો તે રાજનીતિમાંથી સન્યાસ લઈ લેશે. કોંગ્રેસ નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભાજપે આ મામલે તેમના રાજીનામાંની માંગ કરતાં મંગળવારે રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું.

dk-shivkumar-2-

આલાકમાનને આપી સફાઈ

શિવકુમારે કહ્યું, "બીજેપી ઇન્ટરવ્યુમાં જણાવેલ સત્ય અને મારા રાજકીય વલણને પચાવી શકતું નથી. મેં ક્યાં કહ્યું કે હું બંધારણ બદલવાનો છું? જો મેં કહ્યું હોત, તો હું તે સ્વીકારી લેત. આપણે જ બંધારણ લાવ્યા છીએ અને આપણે જ તેનું રક્ષણ કરી રહ્યા છીએ. આપણા નેતાઓ સમજદાર છે અને તેમણે ઇન્ટરવ્યુ જોયો છે."

તેમણે કહ્યું, "આ ભાજપના નેતા જ છે જેમને કહ્યું કે તે સંવિધાન બદલાઈ જશે. જો મે ક્યારેય કહ્યું હોય કે હું સંવિધાન બદલીશ, તો હું રાજનીતિમાંથી સન્યાસ લઈ લઈશ." જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ આલાકમાનએ સ્પષ્ટીકરણ માંગ્યું તો તેમણે કહ્યું, "હા, તેમણે સ્પષ્ટીકરણ માંગ્યું છે. મે તેમણે ઇન્ટરવ્યૂની વિસ્તારમાં સમીક્ષા કરવામાં કહ્યું છે. તે આ વાતથી સહમત છે કે મે આવું કશું નથી કહ્યું."

કોંગ્રેસ પર હમલાવર છે BJP

રવિવારે એક મીડિયા કાર્યક્રમમાં, શિવકુમારે એવું સૂચન કર્યું હતું કે મુસલમાનો માટે ક્વોટાને સમાવવા માટે બંધારણમાં સુધારો કરવામાં આવે ત્યારે "અચ્છે દિન" આવી શકે છે. જોકે, કોંગ્રેસના નેતાએ સોમવારે દાવો કર્યો હતો કે તેમનો ઉલ્લેખ ખોટો કરવામાં આવ્યો છે અને તેમણે "ક્યારેય કહ્યું નથી કે અમે બંધારણ બદલીશું."

વધુ વાંચો: માનસરોવર યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન

આ દરમિયાન, ભાજપે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે, અને આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ ક્વોટા પરની તેમની ટિપ્પણીએ બંધારણમાં ફેરફાર કરવાના પક્ષના "છુપાયેલા એજન્ડા"નો પર્દાફાશ કર્યો છે. સોમવારે ભાજપે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, "મત માટે બંધારણમાં ફેરફાર કરવો એ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે." તેમણે શિવકુમારની ટિપ્પણીને "એક શરૂઆત" ગણાવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News DK Shivakumar Karnataka News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ