બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:13 PM, 22 April 2025
બાબા રામદેવે રૂહ આફઝા શરબતને 'શરબત જિહાદ' કહ્યા બાદ તેમના નિવેદન બદલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલે કોર્ટે બાબા રામદેવના આ નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ નિવેદનને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. જ્યારે બપોરે 12 વાગ્યે કોર્ટમાં ફરી સુનાવણી થઈ ત્યારે બાબા રામદેવના વકીલનું વલણ નરમ પડ્યું અને તેમણે કોર્ટને કહ્યું કે અમે તે વીડિયો હટાવી દઇશું.
ADVERTISEMENT
5 દિવસની અંદર આપવું પડશે સોગંદનામું
મળતી માહિતી મુજબ બાબા રામદેવના નિવેદન સામે તેમના હમદર્દ વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરીને કોર્ટે બાબા રામદેવના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ આજે કોર્ટ સામે નરમ વલણ અપનાવતા રામદેવના વકીલે કહ્યું કે જે કંઈ મારા નિયંત્રણમાં છે તે દૂર કરવામાં આવશે. પ્રિન્ટ અથવા વીડિયોમાં બધી વિવાદાસ્પદ જાહેરાતો દૂર કરવામાં આવશે અથવા યોગ્ય રીતે બદલવામાં આવશે.
ADVERTISEMENT
BREAKING: ‘Sharbat-Jihad’ comment: Baba Ramdev agrees to take down videos against Rooh Afza after Delhi High Court rap
— Bar and Bench (@barandbench) April 22, 2025
Ramdev made the controversial remarks on April 3 while promoting his company's product - Gulaab Sharbat.@yogrishiramdev
Read more: https://t.co/tl08YmsZ5o pic.twitter.com/Kh6qOzWGym
આ ઉપરાંત કોર્ટે સોગંદનામું પણ માંગ્યું છે કે ભવિષ્યમાં તે આવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ જારી કરશે નહીં તેવું જણાવતું સોગંદનામું દાખલ કરવું જોઈએ.
કોર્ટે કહ્યું કે સોગંદનામું 5 દિવસની અંદર દાખલ કરવામાં આવે. આ કેસ 1 મે ના રોજ લિસ્ટેડ છે.
હાઈકોર્ટે નિવેદન પર નારાજગી વ્યક્ત કરી
અગાઉ હાઈકોર્ટે બાબા રામદેવ દ્વારા 'શરબત જેહાદ' અંગે આપેલા નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને તેને અક્ષમ્ય અને કોર્ટના અંતરાત્મા માટે આઘાતજનક ગણાવ્યું હતું.
વધુ વાંચો: કોણ હતા જસ્ટિસ કૈલાશ નાથ વાંચૂ, જેઓ કાયદાની ડિગ્રી વગર બન્યા હતા CJI, જાણો કેમ છે ચર્ચામાં
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે કહ્યું કે આ નિવેદન અક્ષમ્ય છે અને કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખે છે. રામદેવના નિવેદન સામે હમદર્દ લેબોરેટરીઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ નિવેદન હમદર્દના પ્રખ્યાત ઉત્પાદન 'રૂહ અફઝા' અંગે આપવામાં આવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે આ નિવેદનને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. હમદર્દ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા. રોહતગીએ દલીલ કરી હતી કે બાબા રામદેવનું નિવેદન ધાર્મિક આધાર પર સમાજને વિભાજીત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.