બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:59 PM, 19 April 2025
દેવભૂમિ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર આવતા મહિને ખુલશે ત્યારે એ પહેલા મંદિર સમિતિએ જણાવ્યું કે દરેક વ્યવસ્થા તેના અંતિમ તબકકામાં છે અને 2 મે ના રોજ વિધિવત પૂજા પછી તેના દ્વાર ખોલવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીનું નિવેદન
10 એપ્રિલના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષક્ર સિંહ ધામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચારધામ યાત્રાને સફળ અને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે " ચારધામ યાત્રા અમારી આસ્થા જ નહીં પરંતુ રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ છે. અમે તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે."
ADVERTISEMENT
ચારધામ યાત્રા માટેની ગાઈડલાઇન
ઉત્તરાખંડ સરકાર અને પર્યટન વિભાગે ચારધામ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે કેટલીક ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. બધા ધામ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત હોવાથી ઠંડી, ઓક્સિજનનો અભાવ, યુવી કિરણો અને હવાનું ઓછું દબાણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વહીવટીતંત્રએ સલાહ આપી છે કે મુસાફરો ઓછામાં ઓછા સાત દિવસ માટે તેમની મુસાફરીનું આયોજન કરે જેથી તેમનું શરીર ઊંચાઈને અનુરૂપ થઈ શકે. ટ્રેકિંગ કરતી વખતે દર એક કે બે કલાકે વિરામ લો. દરરોજ બ્રિધિંગની કસરત કરો અને 20-30 મિનિટ ચાલો. 55 વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેને કોઈ બીમારી હોય તે લોકો મુસાફરી કરતા પહેલા ડૉક્ટર પાસેથી ફિટનેસ ચેક કરાવીને અને ડોક્ટરની સલાહ અને પરવાનગી લીધા પછી જ યાત્રા કરે. ઉપરાંત, તમારી બેગમાં ગરમ કપડાં, રેઈનકોટ, આવશ્યક દવાઓ, પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર રાખો. હવામાન વિશે માહિતી મેળવ્યા પછી જ તમારી મુસાફરી શરૂ કરો અને ડૉક્ટરની સલાહ પર જ આગળ વધો.
વધુ વાંચો: Video: પતિ પ્રેમિકા સાથે ભાગવાની ફિરાકમાં હતો, અને પત્ની આવી ચડી, પછી જે માથાકૂટ થઇ, જુઓ વીડિયો
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
જે ભક્તો કોઈ કારણસર યાત્રા પર જઈ શકતા નથી તેમના માટે કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં ઓનલાઈન પૂજાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ સુવિધા હેઠળ ઘરે બેઠા મંદિરમાં પૂજા કરી શકાય છે. આ માટે બદ્રિ-કેદાર મંદિર સમિતિની વેબસાઇટ https://badrinathkedarnath.gov.in પર જઈને બુકિંગ કરી શકાય છે. આ સેવા 10 એપ્રિલથી શરૂ થઈ છે. જે ભક્તોએ ઓનલાઈન પૂજા બુક કરાવી છે તેમના નામે પૂજા વિધિવત રીતે કરવામાં આવશે અને પૂજા પછી ધામનો પ્રસાદ પણ તેમના આપેલા સરનામે મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.