બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2જી મેંથી ખુલશે કેદારનાથ ધામના કપાટ, ચાર ધામ યાત્રાએ જનારા ખાસ વાંચી લેજો આ ગાઇડલાઇન

નેશનલ / 2જી મેંથી ખુલશે કેદારનાથ ધામના કપાટ, ચાર ધામ યાત્રાએ જનારા ખાસ વાંચી લેજો આ ગાઇડલાઇન

Last Updated: 12:59 PM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ આગામી 2 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. તો બીજી તરફ બદ્રીનાથ ધામના દ્વાર 4 મે ના રોજ ખુલશે. તે પહેલા બદ્રિનાથ-કેદારનાથની યાત્રાએ જનાર લોકો માટે મંદિર સમિતિએ ગાઈડલાઇન જાહેર કરી છે.

દેવભૂમિ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર આવતા મહિને ખુલશે ત્યારે એ પહેલા મંદિર સમિતિએ જણાવ્યું કે દરેક વ્યવસ્થા તેના અંતિમ તબકકામાં છે અને 2 મે ના રોજ વિધિવત પૂજા પછી તેના દ્વાર ખોલવામાં આવશે.

મુખ્યમંત્રીનું નિવેદન

10 એપ્રિલના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષક્ર સિંહ ધામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચારધામ યાત્રાને સફળ અને સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે " ચારધામ યાત્રા અમારી આસ્થા જ નહીં પરંતુ રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ છે. અમે તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરી છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે."

chardham12

ચારધામ યાત્રા માટેની ગાઈડલાઇન

ઉત્તરાખંડ સરકાર અને પર્યટન વિભાગે ચારધામ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે કેટલીક ખાસ માર્ગદર્શિકા જારી કરી છે. બધા ધામ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત હોવાથી ઠંડી, ઓક્સિજનનો અભાવ, યુવી કિરણો અને હવાનું ઓછું દબાણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વહીવટીતંત્રએ સલાહ આપી છે કે મુસાફરો ઓછામાં ઓછા સાત દિવસ માટે તેમની મુસાફરીનું આયોજન કરે જેથી તેમનું શરીર ઊંચાઈને અનુરૂપ થઈ શકે. ટ્રેકિંગ કરતી વખતે દર એક કે બે કલાકે વિરામ લો. દરરોજ બ્રિધિંગની કસરત કરો અને 20-30 મિનિટ ચાલો. 55 વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેને કોઈ બીમારી હોય તે લોકો મુસાફરી કરતા પહેલા ડૉક્ટર પાસેથી ફિટનેસ ચેક કરાવીને અને ડોક્ટરની સલાહ અને પરવાનગી લીધા પછી જ યાત્રા કરે. ઉપરાંત, તમારી બેગમાં ગરમ ​​કપડાં, રેઈનકોટ, આવશ્યક દવાઓ, પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર રાખો. હવામાન વિશે માહિતી મેળવ્યા પછી જ તમારી મુસાફરી શરૂ કરો અને ડૉક્ટરની સલાહ પર જ આગળ વધો.

વધુ વાંચો: Video: પતિ પ્રેમિકા સાથે ભાગવાની ફિરાકમાં હતો, અને પત્ની આવી ચડી, પછી જે માથાકૂટ થઇ, જુઓ વીડિયો

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન

જે ભક્તો કોઈ કારણસર યાત્રા પર જઈ શકતા નથી તેમના માટે કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં ઓનલાઈન પૂજાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ સુવિધા હેઠળ ઘરે બેઠા મંદિરમાં પૂજા કરી શકાય છે. આ માટે બદ્રિ-કેદાર મંદિર સમિતિની વેબસાઇટ https://badrinathkedarnath.gov.in પર જઈને બુકિંગ કરી શકાય છે. આ સેવા 10 એપ્રિલથી શરૂ થઈ છે. જે ભક્તોએ ઓનલાઈન પૂજા બુક કરાવી છે તેમના નામે પૂજા વિધિવત રીતે કરવામાં આવશે અને પૂજા પછી ધામનો પ્રસાદ પણ તેમના આપેલા સરનામે મોકલવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Registration Chardham Tourist Guideline Badrinath-Kedarnath Yatra
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ