નિર્ભયાના ચારેય ગુનેગારોની ફાંસીની તારીખ (3 માર્ચ) જેમ જેમ નજીક આવી રહી છે. તિહાર જેલ તંત્ર પણ સતર્ક થઈ રહ્યું છે. તિહાર જેલનં -3માં બંધ નિર્ભયાના ચારેય ગુનેગારો બચવા માટે અનેક પેંતરા કરી રહ્યા છે. ત્યારે અનેકવાર અવું બન્યુ કે તેઓએ પોતાને નુકશાન પહોંચાડીને ફાંસીથી બચવાનો પ્રયાસ કર્યો છે. જેથી જેલ તંત્ર આવી ઘટના ફરી ન બને તે માટે સતર્ક થઈ કર્યો છે આ નિર્ણય.
નિર્ભયા કેસનાગુનેગારોની બદલાઈ રહી છે જેલ કોટડી
ફાંસીની તારીખ નજીક આવતા તિહાર જેલ તંત્ર સતર્ક
ગુનેગારો એકબીજા સુધી અવાજ ન પહોંચાડી શકે એ માટે નિર્ણય
જેલ તંત્ર દર રોજ ગુનેગારોની કોટડી બદલી રહી છે
આ ચારેય ગુનેગારોને એક કોટડીમાં રાખવાની જગ્યાએ અલગ અલગ કોટડીમાં રાખવાનો નિર્ણય જેલ તંત્રએ લીધો છે. જેના કારણે નિર્ભયા કેસના ગુનેગારોની જેલ કોટડી બદલાઈ રહી છે. ફાંસીની તારીખ નજીક આવતા તિહાર જેલ તંત્ર સતર્ક થઈ ગયું છે. જેલ તંત્ર દર રોજ ગુનેગારોની કોટડી બદલી રહી છે.
2 ગુનેગારોની કોટડી વચ્ચે એક કોટડી ખાલી રખાઈ
ગુનેગારો એકબીજા સુધી અવાજ ન પહોંચાડી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે 2 ગુનેગારોની કોટડી વચ્ચે એક કોટડી ખાલી રખાઈ છે. ફાંસીની તારીખ નજીક આવતા સુરક્ષા વધારાઈ રહી છે.
ત્રીજુ ડેથ વોરન્ટ ઈશ્યું થયું છે
ગુનેગારો પોતાને નુકસાન ન પહોંચાડે તેને તંત્ર સતર્ક થઈ ગયું છે. જેને પગલે ગુનેગારોને 24 કલાક નજર કેદ રખાયા છે. ઉલ્લેખનીય છે કે તેને સીસીટીવી કેમેરા હોય તેવી કોટડીમાં રાખવામાં આવે છે. તેમજ આ ગુનેગારોના અગાઉ 2 વખત ડેથ વોરન્ટ ઈચ્યુ થયા હતા. જે તેમણે પોતાના બચાવમાં રહેલા કાયદાનો ઉપયોગ કરી રદ્દ કરાવ્યા હતા. એ બાદ ત્રીજુ ડેથ વોરન્ટ ઈશ્યું થયું છે. જેમાં ગુનેગારોને 3 માર્ચના સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.