બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાન પરેશાન થઇ ગયુ છે. પાકિસ્તાન આંતકવાદીઓને દમ પર ભારત પર હુમલાનો ષડયંત્ર રચી રહ્યુ છે. આ વચ્ચે આતંકી ખતરાને ધ્યાનમાં રાખતા મુંબઇ મેટ્રોને એલર્ટ કરીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારને ગુપ્તચર એજન્સીએ આતંકી હુમલાને લઈ એલર્ટ કર્યા છે..ગુપ્તચર એજન્સીએ મુંબઈ, નાગપુર અને પુણેમાં આતંકી હુમલો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર સરકારે દરિયાઈ માર્ગો તેમજ મુંબઈ મેટ્રોના તમામ 12 સ્ટેશન પર હાઈએલર્ટ જાહેર કર્યુ છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલું બજેટસત્ર પણ અધવચ્ચે પૂર્ણ કર્યું છે. સાથે જ તમામ ભીડભાડવાળા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દીધી છે.
તમને જણાવી દઇએ કે, 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા. જવાનોની શહીદીનો બદલો લેતા ઘટના 12 દિવસ પછી વાયુસેનાએ ગઇકાલે PoKમાં મોટી કાર્યવાહી કરી. ભારતીય વાયુસેનાએ 12 મિરાજ 2000 ફાઈટ પ્લેન દ્વારા PoKના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ પર 1000 કિલોગ્રામના બોમ્બથી મારો કરીને જૈશ-એ-મોહમ્મદના ઘણા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા. વાયુસૈનાએ કરેલી એર સ્ટ્રાઇકમાં 200-300 આંતકીઓ માર્યા ગયા છે.
આ હુમલા પછી પાકિસ્તાનની તરફથી LoC પર જારી ગોળીબાર વચ્ચે બુધવારે પાકિસ્તાની લડાકૂ વિમાનને ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કર્યુ છે. સીમામાં તેમના 2 વિમાન ઘૂસી આવ્યા અને પાકિસ્તાનની આ હરકત પછી જમ્મૂ-કાશ્મીર અને પંજાબ એરપોર્ટ પર વિમાનોની અવરજવર રોકી દેવામાં આવી છે. લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાનકોટના એરપોર્ટને હાઇઅલર્ટ પર રાખવામાં આવ્યા છે,
જમ્મુ-કાશ્મીર અને પંજાબ પછી ગુજરાતમાં પણ રેડ એલર્ટ:
જમ્મૂ-કાશ્મીર પછી ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. આંતકીઓ ગુજરાતની સીમાથી ઘૂસણખોરી કરે તેવા તેવા સેન્ટ્રલ એજન્સીના ઇનપુટને પગલે સુરક્ષા વધારવામાં આવી છે. સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ છે. આ સાથે જ પોરબંદર કોસ્ટ ગાર્ડની મદદથી ભારતીય માછીમારોની માટે વિશેષ અલર્ટ જારી કરવામાં આવ્યા છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે મરીન કોસ્ટ ગાર્ડ પર માછલીઓ પડકવા ના જાય.
દિલ્હીમાં પણ એલર્ટ:
દિલ્હીમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. દિલ્હીની સિંધુ બોર્ડર પર પજાંબ અને જમ્મૂ-કાશ્મીરથી આવનારી તમામ ગાડીઓને ચેકિંગ પછી દિલ્હી આવવાની પરવાગની આપવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે પણ દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. દિલ્હી મેટ્રોમાં પણ એલર્ટ જારી કરી દીધુ છે. આ એલર્ટ હેઠળ દરેક મેટ્રો સ્ટેશનના નિયંત્રકને દર 2 કલાકે સ્ટેશનની સાથે પાર્કિંગ એરિયાની તપાસ કરવાની રહેશે, જો કોઇ સંદિગ્ધ મળે તો કંટ્રોલ સેન્ટર પર તેની જાણકારી આપવાની રહેશે.