બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:40 PM, 9 June 2026
મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચકાસણી દરમિયાન પાર્ટીના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરી દેવાયું છે. આનાથી રાજ્યની ત્રીજી રાજ્યસભા બેઠક માટેનો મુકાબલો પૂર્ણ થાય છે, અને ભાજપના ઉમેદવાર મહેશ કેવત બિનહરીફ ચૂંટાય તે નિશ્ચિત છે.
ADVERTISEMENT
ભાજપે કોંગ્રેસના ઉમેદવાર પર તેમના નામાંકન સોગંદનામામાં ફોજદારી કેસ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓ કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહે મીનાક્ષી નટરાજનની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. રિટર્નિંગ ઓફિસરે મીનાક્ષી નટરાજનને મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી વાંધોનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. મીનાક્ષીએ જે સ્પષ્ટતા કરી તે યોગ્ય નહી લાગતા રિટર્નિંગ ઓફિસરે તેમનું નામાંકન રદ કર્યુ છે.
મીનાક્ષી નટરાજન પર હૈદરાબાદ કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસની માહિતી છુપાવવાનો આરોપ છે. આ આધાર પર તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી 18 જૂને યોજાવાની છે. 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપ પાસે 164 ધારાસભ્યો છે. આ સંખ્યાના આધારે ભાજપ સરળતાથી બે રાજ્યસભા બેઠકો જીતવાની સ્થિતિમાં હતું અને તેની પાસે 48 વધારાના મત હતા.
ADVERTISEMENT
જોકે ત્રીજી બેઠક જીતવા માટે તેમને ક્રોસ-વોટિંગ અથવા અન્ય પક્ષોના સમર્થનની જરૂર હતી. કોંગ્રેસ પાસે 63 ધારાસભ્યો છે, પરંતુ બે ધારાસભ્યો - રાજેન્દ્ર ભારતી અને મુકેશ મલ્હોત્રા - રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર નથી. આના કારણે કોંગ્રેસ પાસે 61 ની અસરકારક સંખ્યાબળ રહે છે. આ કારણોસર ત્રીજી રાજ્યસભા બેઠક માટેની ચૂંટણી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. જોકે મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થતાં આ બેઠક પણ ભાજપની જોળીમાં જવાનું નક્કી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / ભારતે પહેલી વાર તૈનાત કર્યા 12 પરમાણુ હથિયાર, જાણો સેનાનો શું છે પ્લાન?
કોંગ્રેસ આરોપોને નકાર્યા
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર મામલે લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘર સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કહે છે કે મીનાક્ષી નટરાજન સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કોંગ્રેસનો દાવો છે કે મીનાક્ષી નટરાજન સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી. તેમને ફક્ત કોર્ટ તરફથી સામાન્ય નોટિસ મળી છે. પાર્ટીના નેતાઓ અનુસાર ચૂંટણી પંચની માર્ગદર્શિકા હેઠળ ઉમેદવારોએ તેમના ચૂંટણી સોગંદનામામાં ફક્ત એવા ફોજદારી કેસોનો ખુલાસો કરવો જરૂરી છે જે વિધિવત રીતે નોંધાયેલા હોય. ફક્ત ફરિયાદ અથવા ન્યાયિક નોટિસ જાહેર કરવી ફરજિયાત નથી. કોંગ્રેસનું કહેવું છે કે મીનાક્ષી નટરાજન સામે માહિતી છુપાવવાનો આરોપ તથ્યપૂર્ણ અને કાનૂની રીતે ખોટો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.