દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે દેશમાં ચોમાસાને લઈને સ્કાયમેટ તરફથી આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવાયું છે કે કેરળના તટ પર ચોમાસું 28 મે સુધીમાં દસ્તક દેશે. અમુક વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે. 16-17મે સુધીમાં ચોમાસું અંડમાન અને નિકોબાર પહોંચે તેવી પણ શક્યતા છે.
સ્કાયમેટે કરી આગાહી
28 મે સુધીમાં કેરળ પહોંચશે ચોમાસુ
16-17 મે સુધીમાં અંડમાનમાં પહોંચી શકે છે મોન્સૂન: સ્કાયમેટ
સારું ચોમાસું દેશની ખેતીને લાભ આપનારું બને છે. દેશમાં ચોમાસાની દસ્તક પહેલાં અંડમાનમાં થતી. 1 જૂને કેરળ સુધી આવવાના 10 દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચશે. અંડમાન બાદ લગભગ 5 દિવસમાં ચોમાસું શ્રીલંકા પહોંચશે. ભારતમાં લગભગ 1 જૂનથી ચોમાસું દસ્તક આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને સમાપનનો સમય બદલાઈ ચૂક્યો છે. તેમાં એક અઠવાડિયાનું અંતર હોઈ શકે છે. આ સમયે પૂર્વી અને મધ્ય ભારતના અનેક ભાગોમાં 3થી 7 દિવસનું મોડું ચોમાસું રહેશે. અન્ય તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહેલાં આગમન અને સમાપનની તારીખો જાહેર કરવામાં આવી છે.
સ્કાયમેટની આગાહી અનુસાર ચોમાસું આવવામાં જૂનના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. ક્રમાનુસાર મુંબઈમાં જૂનના બીજા અઠવાડિયામાં, 11 જૂન સુધી આવી શકે છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ચોમાસું આ વર્ષે 3થી 7 દિવસ પહેલાં એટલે કે અન્ય સીઝન કરતાં મોડું આવવાની શક્યતા છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસું 15 જુલાઈને બદલે 8 જુલાઈએ આવી શકે છે. દિલ્હીમાં 23 જૂનને બદલે 27 જૂન સુધીમાં ચોમાસું આવશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું થોડું વધારે ચાલશે એટલે કે 29 સપ્ટેમ્બરને બદલે 8 ઓક્ટોબર સુધી કાયમ રહેશે.
મે મહિનાનો બીજો સપ્તાહ એવો સમય છે જ્યારે ચોમાસાના આગમન પહેલાંની પરિસ્થિતિની સાચી તસવીર દર વર્ષે સ્પષ્ટ થવા લાગે છે. પૂર્વ દિશામાંથી આવતા વેપાર પવનોએ વિષુવવૃત્તને પાર કરવાનું શરૂ કરી દીધું છે. 12 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં નીચા દબાણનો વિસ્તાર બને તેવી સંભાવના છે. પરિણામે ચોમાસું વર્તમાન બંગાળની ખાડીથી પશ્ચિમ દિશા તરફ જવાનું શક્ય છે.