બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / મુંબઈની જે ED ઓફિસમાં રાજકારણીઓની સામે ચાલી રહી છે તપાસ, તે જ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
Last Updated: 07:45 AM, 27 April 2025
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે વહેલી સવારે ED ઓફિસમાં ભીષણ આગ લાગવાના અહેવાલો સામે આવ્યા. માહિતી અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઈ. આ ઇમારતમાં ED ઓફિસ પણ આવેલી છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના દસથી વધુ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા. જોકે, આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ADVERTISEMENT
#WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.
— ANI (@ANI) April 27, 2025
The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8
રાત્રે 2:30 વાગ્યે મળી ફાયર બ્રિગેડને આગ લાગવાની માહિતી
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફિસમાં ઘણા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સામેના કેસોની તપાસ સંબંધિત દસ્તાવેજો રાખવામાં આવેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 2:31 વાગ્યે, ફાયર બ્રિગેડને કરીમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ પાસે આવેલી બહુમાળી કૈસર-એ-હિંદ ઇમારતમાં આગ લાગવાની માહિતી મળી.
Maharashtra | A fire broke out in Mumbai's ED office in Ballard Pier around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department
— ANI (@ANI) April 27, 2025
ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમે પુષ્ટિ આપી હતી કે સવારે 3:30 વાગ્યાની આસપાસ, આગ લેવલ-2 સુધી વધી ગઈ, જેને સામાન્ય રીતે મોટી આગ માનવામાં આવે છે.
આ પણ વાંચો: પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે, ગૃહ મંત્રાલયે સોંપી દેશની સૌથી મોટી તપાસ એજન્સીને જવાબદારી
આગ ચોથા માળે જ લાગી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે આગ પાંચ માળની ઇમારતના ચોથા માળ સુધી જ મર્યાદિત હતી. ઘટનાસ્થળે આઠ ફાયર એન્જિન, છ જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર, એક રેસ્ક્યુ વાન, એક ક્વિક રિસ્પોન્સ વાહન અને 108 સેવાની એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું કે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ ઈમારતમાં રાખેલા ED ઓફિસના દસ્તાવેજો અને રેકોર્ડને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.