બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઉનાળામાં દર વર્ષે આટલા ગરીબ લોકોના થાય છે મોત, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

તાપમાન / ઉનાળામાં દર વર્ષે આટલા ગરીબ લોકોના થાય છે મોત, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Last Updated: 10:53 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વર્ષે વર્ષ વધી રહેલી તીવ્ર ગરમી હવે જીવલેણ સાબિત થવા લાગી છે. 2015થી 2023 દરમિયાન હીટવેવના કારણે હજારોથી વધુ લોકો પોતાનું જીવ ગુમાવી ચુક્યા છે.

ભારતમાં હાલ ગરમીનો કહેર વધી રહ્યો છે. કાળઝાળ તાપમાન અને સતત વધી રહેલા પારા વચ્ચે સામાન્ય લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળવા માટે પણ બે વાર વિચારે છે. આવી ગરમીમાં શરીર પર ગંભીર અસર પડી શકે છેઅને એસી કે કૂલર વિના ઘરમાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

heatwave-3

ગરમીનું મોજું બને છે વધુ મોજાઓ માટે પેદા કરશે પરિસ્થિતિ

તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે એક હીટવેવ (ગરમીનું મોજું) બીજા હીટવેવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી કરી શકે છે. એટલે કે હવે એક સાથે બે તીવ્ર હીટવેવ આવવાની શક્યતા વધી રહી છે. ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આ ગરમી ઉત્તર ભારતમાં શરૂ થઈ દક્ષિણ સુધી પહોંચે છે.

heatwaze

હવામાનની અસર સૌથી વધુ ગરીબોને પડે છે

કોઈ પણ હવામાન સ્થિતિ હોય, તેનું સૌથી વધુ નુકસાન ગરીબ વર્ગને જ થાય છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યાં પાણી, વીજળી અને ઠંડકના સાધનોની અછત હોય છે, ત્યાં ગરીબોની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. દર વર્ષે ઉનાળાની ત્રતુમાં અનેક ગરીબ લોકો ગરમીના કારણે પોતાનું જીવન ગુમાવે છે.

heatwaze-2

2015 થી 23 સુધીમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?

21 જુલાઈ, 2023ના રોજ લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે આંકડા જાહેર કરતા કહ્યું હતું કે, 2015થી 2023 સુધીના વર્ષોમાં ભારતમાં હીટવેવ એટલે કે તીવ્ર ગરમીના કારણે કુલ 4057 લોકોનાં દુઃખદ મોત થયા છે. વર્ષ 2015 સૌથી વધુ પ્રાણઘાતક સાબિત થયું હતું, જેમાં 2040 લોકોનાં મોત થયા હતા. 2016માં 1102, 2017માં 375, 2018માં 24, 2019માં 215, 2020માં 4, 2021માં 0, 2022માં 33 અને 2023માં 264 લોકો ગરમીના ભોગ બન્યા હતા. આ આંકડા ઘટાડો દર્શાવે છે પરંતુ દરેક મૃત્યુ એક પરિવાર માટે અકલ્પનીય શોક લાવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આવા દુર્ઘટનાઓને સમયસર ચેતવણી અને યોગ્ય વ્યવસ્થા દ્વારા અટકાવી શકાય તેમ હોય, ત્યારે તે વધુ પીડાદાયક બની જાય છે.

ઉનાળાની સૌથી ગરમ મહિનો: એપ્રિલથી જૂન

ભારતમાં ખાસ કરીને ત્રણ મહિના એપ્રિલ, મે અને જૂન – ભારે ગરમી ધરાવે છે. આ સમયગાળો એટલે હીટવેવ માટે સૌથી વધુ જોખમવાળો સમય છે. ઘણી જગ્યાએ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે માનવી માટે ખુબ જ જોખમકારક છે. હવામાન વિભાગ દર વર્ષે ચેતવણી આપે છે કે આવા સમયમાં ઘર બહાર ન નીકળો, સાવચેતી રાખો, પાણી વધુ પીવો અને લાંબા કપડાં પહેરો.

આ પણ વાંચો : શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા

મેઘમહેર પછી પણ રાહત નહીં?

ચોમાસાની ઋતુ થોડા અંશે રાહત આપે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવું લાગી રહ્યું છે કે વરસાદની ઋતુ પણ પૂરતી રાહત આપતી નથી. ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાઈ રહી છે. આ સાથે જ ભવિષ્યમાં વધુ ઉગ્ર ગરમી જોવા મળવાની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heatwave statistics 2015-2023 heatwave India India temperature rise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ