આજે રાજ્યમાં એક લાખ 67 હજારથી વધારે સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 31 હજાર 265 સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે એક દિવસમાં અહીં કોરોનાને કારણે દોઢ સૌ લોકોના મોત થયા છે. રાજ્યમાં આ સ્થિતિને જોતા કેરળ સરકારે સોમવારથી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.
5 દિવસમાં 50 હજાર એક્ટિવ કેસ
કેરળમાં કોરોનાના કેરનું અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે રાજ્યમાં શનિવાર સુધી 2 લાખથી વધારે દર્દી હતા. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસમાંથી 50 ટકા કેસ કેરળના છે. ગત 5 દિવસમાં 50 હજાર એક્ટિવ દર્દી વધ્યા છે અને આ દરમિયાન રાજ્યમાં એક લાખ 49 હજાર 814 નવા મામલા આવ્યા છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ શનિવારે કારોનાના 4 હજાર 831 નવા મામલા નોંધાયા છે. મિઝોરમમાં પણ કેસમાં વધારો જોવા મળ્યો છે. અહીં સતત બે દિવસથી કોરોનાના કેસ એક હજારની નજીક પહોંચ્યા છે.
મોતમાં સૌથી ઉપર કેરળ
ભારતમાં શનિવારે કુલ 498 લોકોના મોત નોંધાયા છે જેમાંથી 153 એકલા કેરળના છે. આ ઉપરાંત 126 મહારાષ્ટ્રમાં , 68 ઓડિસા, 21 તમિલનાડુ અને 19 મોત આંધ્રામાં નોંધાયા છે.
રાજ્યની સ્થિતિ જોતા નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યુ
સીએમ પિનરઈ વિજયને જણાવ્યું કે અહીં આજે 1, 67, 497 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 31, 265 સેમ્પલોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે એક દિવસમાં 153 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. સીએમે કહ્યું કે કેરળમાં આ સ્થિતિને જોતા રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાતે 10 વાગે સવારે 6 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન લોકોએ જરુરી કામ સિવાય ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી.
દેશમાં 46 હજારથી ઉપર નવા કેસ, તો 498 મોત
દેશમાં શનિવારે રિપોર્ટ થયેલા મામલાની સંખ્યા 46 હજારથી ઉપર નોંધવામાં આવ્યા છે. ત્યારે આમાંથી એક દિવસ પહેલા દેશભરમાં 44 હજારને પાર મામલા સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં ગત 24 કલામાં 46, 759 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 31,374 લોકો સાજા થયા છે. આ ઉપરાંત શનિવારે મોતના આંકડા 509 સુધી પહોંચી ગયા જ્યારે આનાથી એક દિવસ પહેલા 24 કલાકમાં કુલ 498 લોકોના મોત થયા હતા.