રિપોર્ટ અનુસાર દેશની નિચલી કોર્ટમાં માત્ર વકીલોની અછતને કારણે આશરે 63 લાખ કેસો પેન્ડિંગ છે જેમાં સૌથી વધુ ક્રિમિનલ કેસોની સંખ્યા છે.
દેશની નિચલી કોર્ટમાં 4 કરોડ પેન્ડિંગ કેસો
63 લાખથી વધુ મામલામાં વકીલોની ઓછપ છે કારણ
જજોની સાથે દેશમાં વકીલોની છે ઓછપ
દેશનાં ન્યાયાલયોમાં માત્ર જજની જ ઓછપને કારણે જ કેસો પેન્ડિંગ છે એવું નથી. રાષ્ટ્રી ન્યાયીક ડેટા ગ્રિડનાં આંકડાઓ અનુસાર નિચલી અદાલતમાં માત્ર વકીલોની ઓછપને કારણે જ 63 લાખથી વધુ મામલાઓ પેન્ડિંગ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ક્રિમિનલ કેસની છે અને ઉત્તરપ્રદેશ તેમાં સૌથી ઉપર છે.
દેશની નિચલી કોર્ટમાં 4 કરોડ પેન્ડિંગ કેસો
દેશની નિચલી કોર્ટમાં પેન્ડિંગ રહેલા 4 કરોડથી પણ વધુ મામલાઓમાંથી લગભગ 63 લાખ મામલાઓ તો માત્ર વકીલ ન હોવાને કારણે પેન્ડિંગ છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ અનુસાર 20 જાન્યુઆરી સુધી પેન્ડિંગ કેસોમાં 78% મામલાઓ ક્રિમિનલ અને બાકીનાં સિવિલ કેસો છે. વકીલોની ઓછપને કારણે પેન્ડિંગ મામલાઓની સંખ્યા ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ છે. માત્ર દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, યૂપી અને બિહારમાં કુલ 63 લાખ મામલાઓમાંથી 77.7% એટલે કે 49 લાખથી વધુ કેસો આ કારણે પેન્ડિંગ છે.
વકીલ ન હોવાનાં કારણો અનેક
અદાલતોમાં પેન્ડિંગ કેસોમાં વકીલો ન હોવાનાં કારણો ઘણાં હોઈ શકે છે જેમાં કેસ લડી રહેલા વકીલનું મોત, કેસો ચાલી રહ્યાં હોય ત્યારે વકીલોની વ્યસ્તતા, પ્રોસિક્યુશન દ્વારા વકીલોની પસંદગીમાં વધુ સમય લાગવો અને મફત કાયદાકીય સેવાઓ ઓછી પહોંચવાનું પણ એક કારણ હોઈ શકે છે.નિચલી કોર્ટમાં કેસોમાં થતાં વિલંબનું આ સૌથી મોટા કારણમાંનું એક હોઈ શકે છે.
એક કેસની સુનાવણી પૂર્ણ થતાં લાગે છે વર્ષો
મોટાભાગે વકીલો પર કામનું ઘણું ભારણ હોય છે. જે રીતે કોર્ટમાં રજિસ્ટ્રી કામ કરે છે તેમાં કેસોની લિસ્ટ સૌથી છેલ્લે આવે છે. તેથી મોટાભાગે વકીલોને સુનાવણી પર હાજર રહેવાનું ચૂકી જાય છે. બીજું કારણ એ છે કે સરેરાશ એક કેસની સુનાવણી પૂર્ણ થતાં 4 વર્ષો લાગે છે. જ્યારે કેસો લાંબા સમય સુધી ચાલે છે ત્યારે પીડિત વ્યક્તિને મોટી ફીઝ ચૂકવવી પડે છે જેના કારણે તે મોંઘુ પડે છે.
કાનૂન મંત્રાલય દ્વારા મળેલા આંકડાઓથી જાણવા મળે છે કે વર્ષ 2017-18 અને 2021-22ની વચ્ચે એક કરોડથી પણ વધુ લોકોએ કાયદાકીય સેવા પ્રાધિકરણોનાં માધ્યમથી આપવામાં આવતી નિ:શુલ્ક કાનૂની સેવાઓનો લાભ ઊઠાવ્યો છે. જ્યારે કાયદાનાં જાણકારો કહે છે કે આ આંકડાઓને માનવું અઘરૂં છે અને આ વિષય પર વધુ તપાસ થવી જોઈએ.