ભારતમાં કોરોનાની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલૉજીએ સ્વદેશી ટેકનીક પર IEGG એલિસા ટેસ્ટ કિટ ને બનાવી છે. જેનાથી માનવ શરીરમાં કોરોના વાયરસના એંટીબોડીની ઉપસ્થિતિની ખબર પડશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે આ ચેપના સંપર્કમાં આવનારા લોકોના પ્રમાણને મોનિટર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કોરોના સંકટ સામે ભારતમાં તૈયાર થઇ સ્વદેશી કીટ
આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી જાહેરાત
ભારતે ચીની રેપિડ ટેસ્ટ કીટ ઉપર મૂક્યો છે પ્રતિબંધ
ચીનમાં બનાવવામાં આવેલી ઝડપી પરીક્ષણ કીટથી દેશમાં કોરોનાની તપાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા રાજ્યોમાં ચીનની ટેસ્ટના પરીક્ષણમાં ક્ષતિ હોવાનું જણાયું છે. જે બાદ IMCRએ રાજ્યોને તપાસ ન કરવાની સલાહ આપી હતી.
હૈદરાબાદની એક ખાનગી કંપનીએ પણ ટેસ્ટ કીટ બનાવી
બે દિવસ પહેલા જ હૈદરાબાદ સ્થિત કંપની જેનોમિક્સ બાયોટેકએ સૌથી સસ્તી ટેસ્ટ કીટ બનાવવાનો દાવો કર્યો હતો. આ ઝડપી કીટની સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આની સાથે કોઈ તેના પોતાના ઘરે કોરોનાનું પરીક્ષણ કરી શકે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે એક કીટની કિંમત 50 થી 100 રૂપિયા હશે. જ્યારે ચીન તરફથી ઝડપી ટેસ્ટ કીટની કિંમત 400-600 રૂપિયા હતી. ખાસ વાત એ છે કે તમે આ કીટથી તમારી જાતને ચકાસી શકો છો.
National Institute of Virology, Pune has successfully developed the 1st indigenous anti-SARS-CoV-2 human IgG ELISA test kit for antibody detection of #COVID19. It will play a critical role in surveillance of proportion of population exposed to the infection: Union Health Minister pic.twitter.com/Tno7EIRsFU