માહિતી અધિકાર (RTI) કાયદા અંતર્ગત રાજનીતિક દળોના ટેક્સ રિટર્નનું વિવરણ માંગવા પર આઈટી વિભાગે પહેલા તો કહ્યું કે તેમની પાસે આ સંબંધમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી અને પછી કહ્યું કે વિરોધાભાસી જવાબમાં છૂટ સંબંધી ઉપનિયમનો હવાલો આપતા સૂચના આપવાથી ઈન્કાર કરી દીધો. આ દાવો એક આરટીઆઈ કાર્યકર્તાએ મંગળવારે કર્યો છે.
RTIના મામલામાં સર્વોચ્ચ નિર્ણયક સંસ્થા કેન્દ્રીય સૂચના આયોગના 2008માં આદેશ આપવામાં આવ્યા હતા પારદર્શિતા કાયદા અંતર્ગત રાજનીતિક દળોનું ટેક્સ વિવરણ સાર્વજનિક થવું જોઈએ. આ બાદથી અનેક આદેશો બાદ પણ તેમણે પોતાનું આ વલણ અનેક વાર રિપિટ કર્યુ.
RTI કાર્યકર્તા વેંકટેશ નાયકે આરટીઆઈ કરી માંગી હતી માહિતી
RTI કાર્યકર્તા વેંકટેશ નાયકે ગત 10 વર્ષોમાં રાજનીતિક દળો દ્વારા દાખલ કરી વિવરણ પ્રાપ્ત કરવા માટે આયકર વિભાગનો સંપર્ક કર્યો. વિભાગે જવાબ આપ્યો કે અરજદારને જાણ કરવામાં આવે છે કે જે જાણકારી માંગવામાં આવી છે તેને કેન્દ્રીય લોક સૂચના અધિકારી (સીપીઆઈઓ) દ્વારા રજીસ્ટર જાણકારીના રુપમાં નથી રાખવામાં આવી. ન હાલના નિયમો અંતર્ગત સીપીઆઈઓ માટે આ જાણકારી રાખવી જરુરી છે.
આઈટી વિભાગે આપ્યો સુપ્રીમ કોર્ટનો હવાલો
આઈટી વિભાગે કેન્દ્રીય લોક સૂચના અધિકારીએ સુપ્રીમ કોર્ટના એક આદેશનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે જો માંગવામાં આવેલી જાણકારી સાર્વજનિક જોગવાઈના રેકોર્ડમાં નથી તો તેવા મામલામાં આ અધિનિયમ લોક પ્રાધિકારી પર જવાબદારી નથી નાંખતા કે તે આવી બિન ઉપલબ્ધ માહિતી ભેગી કરી અરજદારને પુરી પાડે.