રેલ્વેમાં મુસાફરી તો આપણે કરતા જ હોઇએ છીએ પરંતુ ઘણીવાર આપણે રેલ્વેના કેટલાક નિયમો વિશે જાણતા હોતા નથી. જાણીને આશ્ચર્ય થશે કે રેલ્વે 53 વિવિધ શ્રેણિઓમાં ટિકિટ પર છૂટ આપે છે. આ છુટ 10થી 100 ટકા સુધી હોય છે. આ છુટ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, ડૉક્ટરોને આપવામાં આવે છે. આ વિશેની જાણકારી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
રેલ્વેમાં મુસાફરી તો આપણે કરતા જ હોઇએ છીએ પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે રેલ્વે 53 વિવિધ શ્રેણિઓમાં ટિકિટ પર છૂટ આપે છે. આ છુટ 10થી 100 ટકા સુધી હોય છે. આ છુટ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, ડૉક્ટરોને આપવામાં આવે છે. આ વિશેની જાણકારી રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
અહીં સમજો, રેલ્વે ક્યાં કેટલી આપે છે છુટ :
સ્યૂટની કેટેગરી છુટ
પુરુષ (60 વર્ષ અથવા તેથી વધારે) તમામ ક્લાસમાં 40 ટકા
(રાજધાની, શતાબ્દી, દુરન્તો ટ્રેન સહિત)
મહિલાઓ (60 વર્ષ અથવા તેથી વધારે) તમામ ક્લાસમાં 50 ટકા
(રાજધાની, શતાબ્દી, દુરન્તો ટ્રેન સહિત)
મેડિકલ કર્મચારીઓને મળતી છુટ :
સ્યૂટની કેટેગરી છૂટ(ટકાવારીમાં)
ડૉક્ટરો-એલોપેથિક (કોઇપણ ઉદ્દેશ્યથી યાત્રા માટે) 10 ટકા
નર્સ અથવા પ્રેક્ટિશનર (રજા અથવા ડ્યૂટી માટે યાત્રા) સેક્ન્ડ ક્લાસ કેટેગરીમાં 2 ટકા અને સ્લીપર ક્લાસમાં 25 ટકા
વિદ્યાર્થીઓ માટે રેલ્વેની છૂટ :
- સામાન્ય વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને હોમટાઉન તથા શિક્ષણ કાર્યથી મુસાફરી પર સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસમાં 50 ટકાની છુટ રેલ્વે દ્વારા મેળવી શકે છે.
-એસટી, એસટી ક્લાસમાંથી આવતા વિધ્યાર્થીઓને હોમટાઉન અથવા શિક્ષણ માટે કરવામાં આવતી મુસાફરી માટે રેલ્વે દ્વારા સેકન્ડ ક્લાસ અે સ્લીપર ક્લાસમાં 75 ટકા છુટ આપવામાં આવે છે.
- ગ્રામિણ ક્ષેત્રોમાં સરકારી સ્કૂલોમાં ભણતા વિધ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા શેક્ષણિક કાર્ય માટે (વર્ષમાં એકવાર) મુસાફરી માટે 75 ટકા છુટ આપવામાં આવે છે.
-રાજ્ય સ્તરની કોઇપણ કોમ્પિટીટીવ પરીક્ષા માટે ગ્રામીણ ક્ષેત્રોની સરકારી સ્કૂલમાં ભણતી વિધ્યાર્થીનીઓને સેકન્ડ ક્લાસમાં 75 ટકા છૂટ આપવામાં આવે છે.
-UPSC અને કેન્દ્રીય કર્મચારી આયોગ દ્વારા આયોજીત મુખ્ય પરીક્ષામાં હાજર થનારા વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસ કેટેગરીમાં 50 ટકાની છૂટ આપવામાાં આવે છે.
-રિસર્ચને લઇને મુસાફરી કરનાર 35 વર્ષથી વધારે ઉંમરના રિસર્ચરને રેલ્વેની સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ટિકિટ પર 50 ટકાની છૂટ મેળવી શકે છે.
-વર્ક કેમ્પમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે અન્ય લોકો પણ સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ પર 50 ટકા રાહત મેળવી શકે છે.
છૂટ મેળવવાના નિયમ :
- તમામ કન્શેશનલ ભાડાની ગણતરી રેલ્વે અનુસાર, મેલ/એક્સપ્રેસ ટ્રેન માટે ટ્રેનની કેટેગરી ઉપરાંત ભાડાના આધારે કરવામાં આવે છે.
-કન્શેશનલ માત્ર મૂળ ભાડાના સંબંધીત સ્વીકાર્ય છે. અન્ય ભાડાના સંબંધમાં કોઇ કન્શેશન સ્વીકાર્ય નથી. જેમાં સુપર ફાસ્ટ, રિઝર્વેશન ચાર્જ વગેરે સામેલ છે.
-યાત્રાળુને એક સમયે માત્ર એક પ્રકારનું કન્શેશન મળશે અને કોઇપણ યાત્રી એક સાથે બે કે તેથી વધારે કન્શેશન મળી શકશે નહીં.
-રેલ્વે દ્વારા દ્વારા આપવામાં આવેલા કન્શેશન ટિકિટને મુસાફર કોઇ અન્ય ક્લાસ માટે બદલી શકશે નહીં.
-સ્પેશિયલ સીઝન ટિકિટ, સર્કૂલર યાત્રા ટિકિટ, અને કેટલીક ટ્રેનોમાં કન્શેશન આપવામાં આવશે નહીં.