PM મોદીએ લૉકડાઉનને વધારવાના લીધેલા નિર્ણય બાદ હવે રેલ્વેએ પોતાની તમામ પેસેન્જર્સ ટ્રેન અને એરલાઈન્સ વિભાગે પોતાની તમામ ફ્લાઈટ્સ 3 મે સુધી રદ કરી છે. મળતી માહિતી અનુસાર રેલ્વેએ પોતાની 3 મે સુધીની તમામ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
લૉકડાઉન લંબાતા લેવાયો નિર્ણય
રેલ્વે વિભાગે લીધો મોટો નિર્ણય
3 મે સુધી નહીં ચાલે કોઈ પણ પેસેન્જર ટ્રેન
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે લૉકડાઉનમાં છૂટછાટ આપવાના બદલે લૉકડાઉન 2.0ને 3 મે સુધી લંબાવ્યું છે. પીએમ મોદીના લૉકડાઉન લંબાવવાના નિર્ણયને અને સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગે પણ તમામ પેસેન્જર ટ્રેનને 3 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
All passenger train services on Indian Railways including Premium trains, Mail/Express trains, Passenger trains, Suburban Trains, Kolkata Metro Rail, Konkan Railway etc shall continue to remain suspended till the 2400 hrs of 3rd May: Ministry of Railways https://t.co/SZ7mUugP9B
આ તમામ રેલ સેવામાં પ્રીમિયમ ટ્રેન, મેલ/ એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર્સ ટ્રેન, ઉપનગરીય ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલ્વે સહિત ભારતની તમામ રેલ સેવાઓ 3 મે સુધી બંધ રહેશે.
હવાઈ વિભાગે પણ લીધો આ નિર્ણય
રેલ્વે બાદ એરલાઈન્સ વિભાગે પણ પીએમ મોદીની નિર્ણયના સમર્થનમાં નિર્ણય લીધો છે અને લૉકડાઉન લંબાશે ત્યાં સુધી આ તમામ ફ્લાઈ્ટસ બંધ રહેશે.
હાલમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10363ને પાર છે જ્યારે કુલ મૃત્યુઆંક 339 છે. ગુજરાતમાં પણ કેસમાં સતત વધારો થયો હોઈ હાલમાં દેશવાસીઓને કોઈ પણ છૂટછાટ આપવામાં આવી નથી. આ સમયે સાવચેતીના ભાગ રૂપે આ ટ્રેનને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.