સુરતમાં અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે હવે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. સુરતમાં આગ દુર્ઘટનાની કમિશને ગંભીર નોંધ લીધી છે.
આ સાથે જ ચીફ સેક્રેટરીને નોટિસ આપી વિસ્તૃત અહેવાલ પણ માંગ્યો છે. આ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા.
આ ઘટના સર્જાતા સીએમ રૂપાણીએ સુરતની મુલાકાત લીધી હતી. સીએમ રૂપાણીએ પોલીસને જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા. અત્યાર સુધી આ મામલે 3 લોકો સામે ફરિયાદ થઈ છે. જોકે હજી સુધી માત્ર ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ થઈ છે. હજી સુધી બિલ્ડર પોલીસ પકડથી દુર છે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા 17 જેટલા વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે
આગની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દેશના વડાપ્રધાને પણ આ ઘટના અંગેની નોંધ લઇને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સુરત પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત લઇને તપાસના આદેશ આપ્યા હતા.