શ્રમિકો મુદ્દે માનવ અધિકાર પંચ આક્રમક બની છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ટ્રેનોમાં પ્રવાસી શ્રમિકોની સામે આવનારી સમસ્યાઓને લઇને રેલવે, કેન્દ્રીય ગૃહ સચિવ, ગુજરાત અને બિહારની સરકારનોને નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધિકારીએ માહિતી આપી હતી. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસ, ઓછા ટેસ્ટ અને શ્રમિકોને લઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી.
ગુજરાતમાં કોરોનાના દિવસેને દિવસ કેસ વધી રહ્યા છે. જેને લઇને કોરોના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબર પર છે. જેને લઇને સરકાર અને અધિકારીઓ પર અનેક પ્રકારના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે લૉકડાઉનને લઇને શ્રમિકો પણ પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતથી પણ અનેક સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી હતી. ત્યારે હવે ટ્રેનમાં શ્રમિકોને પડતી સમસ્યાઓ મુદ્દે રેલવે, ગૃહ સચિવ, બિહાર સરકારની સાથે ગુજરાત સરકારને પણ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
આ અગાઉ લૉકડાઉનમાં લુધિયાનાથી પગપાળા પરત ફરી રહેલા યુવકનું સહારનપુરમાં મોત થયું હતું. આ મામલાને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ખુબ જ ગંભીરતાથી લીધો છે અને મુખ્ય સચિવને નોટિસ આપીને ચાર અઠવાડિયામાં ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.