નેશનલ હાઈવેના ટોલથી પસાર થતા વાહનો પર ટુંક સમયમાં જ ટોલ ટેક્સનો બોજ પડવાનો છે. નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે.
મોંઘવારીના માર વચ્ચે સરકારનો વધુ એક નિર્ણય
નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં કરાયો વધારો
ટોલ રેટમાં 5 ટકાના વધારાનો નિર્ણય
1 એપ્રિલથી ટોલ પ્લાઝાથી પસાર થતા વાહનોને વધારવામાં આવેલો ટોલ ટેક્સ આપવો પડશે. જોકે ફાસ્ટૈગ ફરજિયાત કર્યા બાદ હવે હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટેક્સ વધવાનો છે. ટોલ રેટમાં 5 ટકાના વધારાનો નિર્ણય કરાયો છે. ટોલ રેટમાં ભાવ વધારાની અસર પરિવહન પર પડશે.
NHAI પોતાના તમામ ટોલ પ્લાઝામાં ટેક્સ વધારશે. નવા ભાવ એક એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરી દેવામાં આવશે. જેને લઇને ફોર વ્હિલર અને તેનાથી મોટા વાહનોને એક એપ્રિલ સુધી વધેલો ટોલ ટેક્સ આપવો પડશે. ત્યારે કાનપુર-પ્રયાગરાજ વચ્ચે આવતા 2 ટોલ બડૌરી અને કટોધન ટોલ પર ટેક્સ નહીં વધે.
જોકે, નેશનલ હાઈવે ઑથોરિટીએ વર્ષ 2008માં દરેક ટોલ પ્લાઝામાં ટેક્સ વધારવાની જોગવાઈ કરી હતી. ત્યારબાદ નિયમ અનુસાર પ્રત્યેક નાણાકિય વર્ષમાં ટોલ ટેક્સ વધારવામાં આવે છે. આ નિયમ હેઠળ કાનપુરની આસપાસના ટોલ પ્લાઝા પર એક એપ્રિલથી ટોલ ટેક્સ વધારવામાં આવશે, જે વાહોને આપવો પડશે. ઑથોરિટીના પરિયોજના નિદેશકે આ માટે મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. પંકજ મિશ્રાએ જણાવ્યું કે, કાનપુર-પ્રયાગરાજ વચ્ચે સિક્સલેનનું કામ ચાલવાના કારણે વાહન સવારોને પસાર થવાના તકલીફો ઉઠાવવી પડે છે.