કોંગ્રેસ નેતાઓએ સ્વામી દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલ અરજીનો વિરોધ કરતા કહ્યું કે આ ઉચિત જોગવાઇના હેઠળ દાખલ કરાઇ નથી. આ સંપૂર્ણી રીતે અસ્પષ્ટ છે. તેને જાણીજોઇને મોડુ કરવાના વિચારે દાખલ કરાઇ છે.
જેને લઇને તેને રદ્દ કરવામાં આવે. સ્વામીએ અરજી દાખલ કરી આ કેસમાં અલગ-અલગ સાક્ષીઓને સમન્સ મોકલવા અને દસ્તાવેજો માંગવાની માગણી કરે છે. આ કેસને લઇને આગામી સુનાવણી 12 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સચિન ગુપ્તા સમક્ષ સોનિયા તેમજ રાહુલ ગાંધીના વકીલે કહ્યું હાલની અરજી સંપૂર્ણ રીતે અસ્પષ્ટ છે તેમજ કેસમાં મોડુ કરનારી પ્રકૃતિ હોવાના કારણે તેને નામંજૂર કરવામાં આવે.
સુબ્રમણ્યમ સ્વામનીની જવાબદારી છે કે તેઓ યોગ્ય જોગવાઇ હેઠળ અરજી દાખલ કરનારાઓ યાદીનું સ્થાન તેમજ સાક્ષીઓની અન્ય વિગત પ્રદાન કરે. ખરેખર સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં સેક્રેટરી જનરલ સંજીવ એસ કલગાંવગર, ઉપ ભૂમિ તેમજ વિકાસ અધિકારી રજનીશ કુમાર ઝા, આયકર ક્ષેત્રના 1 ઉપાયુક્ત સાકેત સિંહ તેમજ કોંગ્રેસના અધિકારીઓને સમન્સ મોકલવાની અપીલ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એક ખાનગી અપરાધિક ફરિયાદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ અન્ય પર આરોપ લગાવ્યો હતો કે તેમણે યંગ ઇંડિયન પ્રાઇેટ લિમિટેડ દ્વારા માત્ર 50 લાખ રુપિયાની ચૂકવણી કરી કોંગ્રેસના પોતાના નેશનલ હેરાલ્ડ સમાચાર પત્રના પ્રકાશક એસોસિટેડ જર્નલ લમિટિડેથી 90.25 કરોડ રુપિયા લેવા માટે ષડયંત્ર કર્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા તેમજ ઓસ્કર ફર્નાડિઝ સુમન દૂબે, સામ પિત્રોડા અને મોતીલાલ વોરા તેમજ યંગ ઇંડિયાને આરોપી બનાવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાનુ ગત દિવસે નિધન થઇ ગયું હતું.