કેન્દ્ર દ્વારા પારિત 4 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકારનું વલણ શરુઆતથી વિપરીત થતા ઘટરાગ વાળું રહ્યું છે. શુક્રવારે આ વાત પૂર્વ સિવિલ સર્વન્ટના એક ગ્રુપે પોતાના એક પત્રમાં લખી. આ પત્ર પર 75 પૂર્વ સિવિલ સર્વન્ટના હસ્તાક્ષર છે. આચરણ ગ્રુપનો ભાગ પણ છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બિન રાજનીતિક ખેડૂતોની સાથે એવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જાણે એક બિનજવાબદાર વિપક્ષને પોતાના રસ્તા પરછી હટાવા, પાડી દેવા અને હરાવવાનો હોય.
સિવિલ સર્વન્ટોએ કહ્યું કે, ટ્વીટને લઈને દેશદ્રોહનો આરોપ કેમ લગાવાઈ રહ્યો છે
આંદોલનનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ નિંદનીય
ખેડૂતોની સાથે અન્યાય થયો છે અને સતત થઈ રહ્યો છે
આંદોલનનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ નિંદનીય
આ ઉપરાંત પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર અસફળ, ક્ષેત્રીય, સાંપ્રદાયિક અને અન્ય લોકોની સાથે આંદોલનનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ નિંદનીય છે. આ રીતે સમાધાન નહીં મળે. જો ભારત સરકારમાં એક સૌહાર્દપૂર્ણ સમાધાન ઈચ્છે છે તો દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાને રોકી રાખવાના અડધા અધૂરા પગલાના પ્રસ્તાવની જગ્યાએ આ કાયદાને પાછા લઈ શકે છે અને અન્ય સંબંધિત સમાધાનો વિશે વિચારી શકે છે.
ખેડૂતોની સાથે અન્યાય થયો છે અને સતત થઈ રહ્યો છે
પત્રમાં લખ્યું છે કે CCGમાં સામેલ અમે લોકોએ 11 ડિસેમ્બર 2020ના એક નિવેદન જારી કરી ખેડૂતોને સમર્થન આપવાનો વિચાર કર્યો. એ બાદ જે કંઈ પણ થયું તેણે અમારા વિચારને મજબૂત બનાવ્યો કે ખેડૂતોની સાથે અન્યાય થયો છે અને સતત થઈ રહ્યો છે. પૂર્વ સિવિલ સર્વન્ટે આ મુદ્દા પર ભારત સરકારને સુધારાત્મક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
સિવિલ સર્વન્ટોએ કહ્યું કે, ટ્વીટને લઈને દેશદ્રોહનો આરોપ કેમ લગાવાઈ રહ્યો છે
સિવિલ સર્વન્ટોએ કહ્યું કે તે 26 જાન્યુઆરી 2021ને ગણતંત્ર દિવસ પર થયેલા ઘટનાક્રમથી વિશેષ રુપે ચિંતિત હતા જેમાં એ દિવસે ગતિરોધનો દોષનો ટોપલો ખેડૂતોના માથે નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણ એમ પણ સવાલ કર્યો કે કેટલાક પત્રકારો અને એક વિરોધી પાર્ટીના સભ્યો વિરુદ્ધ ખાલી તેમના ટ્વીટને લઈને દેશદ્રોહનો આરોપ કેમ લગાવાઈ રહ્યો છે જ્યારે હજું સુધી તથ્યાત્મક સ્થિતિ સ્પષ્ટ નથી. આ પત્ર પર પૂર્વ આઈએએસ અધિકારી જવાહર સરકાર અને અરબિંદો બેહરા ઉપરાંત IFS અધિકારી કેબી ફાબિયાન તથા આફતાબ સેઠ, પૂર્વ આઈપીએસ એકે સમાતા સામિલ છે.