કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને જોતા ગોવામાં લોકડાઉનને વધારવામાં આવ્યું છે.
ગોવામાં 5 જુલાઈ સુધી કોરોના કર્ફ્યૂ લાગૂ રહેશે
ગોવાની બોર્ડર પર ડેલ્ટા પ્લસનો ટેસ્ટ
ખાનગી પ્રયોગશાળાઓ સાથે કરાર કરવામાં આવ્યા
ગોવામાં 5 જુલાઈ સુધી કોરોના કર્ફ્યૂ લાગૂ રહેશે
નવા આદેશ અનુસાર ગોવામાં 5 જુલાઈ સુધી કોરોના કર્ફ્યૂ લાગૂ રહેશે. શનિવારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ જાણકારી આપી છે. સીએમ સાવંતે કહ્યું કે ગોવાની સરકારે રાજ્ય સ્તરીય કર્ફ્યૂને 5 જૂલાઈ 2021ની સવારના 5 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
ગોવાની બોર્ડર પર ડેલ્ટા પ્લસનો ટેસ્ટ
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે કહ્યું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ સ્વરુપનો મામલો સામે આવ્યા બાદ તકેદારીના ભાગ રુપે ગોવાની બોર્ડર પર કોવિડ 19ની તપાસ ઝડપી કરવામાં આવી છે.
ખાનગી પ્રયોગશાળાઓ સાથે કરાર કરવામાં આવ્યા
કર્ણાટકને અડીને આવેલા કેરી સત્તારી બોર્ડર પર સંવાદદાતાઓને સંબોધિત કરતા સાંવતે કહ્યું કે કોરોના વાયરસના નવા રુપને શોધવા માટે તપાસની સ્પીડ વધારવામાં આવી છે અને આ માટે ખાનગી પ્રયોગશાળાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે.
ગોવામાં પ્રવેશ કરનારા જો કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત મળે છે તો...
મુખ્યમંત્રીએ કહ્યું કે પડોશી રાજ્યોમાં કોરોના 19માં ડેલ્ટા પ્લસ સ્વરુપના મામલા સામે આવ્યા બાદ અમે તમામ બોર્ડર પર નજર રાખી રહ્યા છીએ અને તપાસ વધારી દીધી છે. તેમણે કહ્યું કે ગોવામાં પ્રવેશ કરનારા જો કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત મળે છે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અથવા કોઈ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ સ્વરુપના 21 મામલા સુધી ખરાઈ કરવામાં આવી છે.