ગુજરાતમાં પ્રથમ વાર 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં નેશનલ ગેમ્સ યોજાશે. જેમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.
ગુજરાતમાં પ્રથમ વાર નેશનલ ગેમ્સ યોજાશે: CM
દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે: CM
હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે,
CMએ ટ્વિટ કરતા જણાવ્યું કે, 'મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.'
ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.
Moment of pride to announce that Gujarat is ready to host the prestigious 36th National Games 2022 from 27 Sept. to 10 Oct 2022.
Our state will set a platform for sportspersons to showcase their talent, break records & create new illustrious records.
ગઇકાલે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને CM જાહેેરાત કરશે તેમ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે.'
Hello Folks!
Some big announcement coming up for Youth and Sports tomorrow, morning at 9 am by Hon'ble CM Shri @Bhupendrapbjp ji.
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.
વધુમાં CMએ કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જવળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.