કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી એક વખત જણાવ્યું કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે.
નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં: કૃૃષિમંત્રી
નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે વાતચીતની તૈયારી જણાવી
સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર
કેન્દ્રીય કૃષિ મંત્રા નરેન્દ્ર સિંહ તોમરે ફરી એક વખત જણાવ્યું કે કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. બિલની કોઈ પણ જોગવાઈ પર તેમને કોઈ આપત્તિ છે અને તે મુશ્કેલી જણાવશે તો આજે પણ સરકાર ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે સંસદ પરિસરમાં મીડિયાના સવાલો પર આ વાત કહી હતી.
કૃષિ બિલ ખેડૂતોના હિતમાં
Country has witnessed that these farm laws are beneficial & are in favour of farmers. We have had discussions about these laws. If they express their issues with the laws point-wise, we can discuss it: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/6Za25NwvUt
કૃષિ મંત્રી તોમરે કહ્યું- 'આખો દેશ આ વાતનો સાક્ષી છે કે કાયદો ખેડૂતોના હિતમાં છે. ખેડૂતો માટે લાભદાયી છે. ખેડૂતોને વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમના વેતનમાં વધારો કરનાર છે. તેમને કાયદાકીય શકંજામાંથી મુક્ત કરનાર છે. જ્યાં સુધી ખેડૂત યુનિયનના આંદોલનનો સવાલ છે. સરકારે આખી સંવેદનશીલતાની સાથે તેની ચર્ચા કરી છે. બિલની કોઈ પણ જોગવાઈ પર તેમને આપત્તી છે તો તે જણાવે સરકાર આજે પણ ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.'
સરકાર ખુલ્લા મને ચર્ચા માટે તૈયાર
તેમણે જણાવ્યું- 'સામાન્ય રીતે લોકતંત્રમાં કોઈ પણ ચૂંટણીમાં ભાગ લેવો તેની કોઈને પણ આઝાદી આપવામાં આવે છે. પરંતુ હુ તેને હાલ ખેડૂત સમસ્યાઓ સુધી જ જોવું છું. માટે ખેડૂતોની સમસ્યા સાથે સંબંધિત બિલમાં જો કોઈ મુશ્કેલી છે તો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. '
દિલ્હી સરકારે આપી જંતર- મંતર પર પ્રદર્શનની પરવાનગી
દિલ્હી સરકારે જંતર મંતર પર ખેડૂતોને ધરના પ્રદર્શન કરવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે ઔપચારિક આદેશ જારી કર્યો છે. 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન સંયુક્ત ખેડૂત મોર્ચાના વધારેમાં વધારે 200 પ્રદર્શનકારીઓ ધરણા પર પ્રદર્શન કરી શકે છે. કોરોનાના નિયમોની સાથે ધરણા પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે. દિલ્હીમાં ઈમરજન્સી મેન્જમેન્ટ એક્ટ લાગૂ છે. જેના ચાલતા DDMAના દિશા નિર્દેશ અંતર્ગત અનેક જમાવડો ન થઈ શકે પરંતુ ખેડૂતોના આંદોલન માટે દિલ્હી સરકારને દિશા નિર્દેશોમાં સંશોધન કર્યો અને પરવાનગી આપી છે.
બીજી તરફ સિંધુ બોર્ડર પહોંચીને આઈએનએલડી નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ કહ્યુ કે તે કાલે સંસદને ઘેરશે. તેમણે કહ્યું કે તે કાલે દિલ્હીમાં ધરણા આપશે અને એક થઈને સંસદમાં જઈને કાળા કાયદાનો વિરોધ કરશે. એવી સ્થિતિ પેદા કરીશું કે સરકારને મજબૂર થઈને કાયદો પાછો લેવો પડશે.
લાલ કિલ્લાની સુરક્ષા વધારવામાં આવી
બીજી તરફ લાલ કિલ્લાની સુરક્ષાને લઈને એડિશનલ ડીસીપી અનિરા રોયે જણાવ્યું કે અહીં 3 શીફ્ટમાં અમારી ડ્યૂટી રહે છે. લાલકિલ્લાને 24 કલાક સુરક્ષા કવર આપવામાં આવ્યું છે. લાલ કિલ્લાન પર આવતા જતા રસ્તા પર સુરક્ષા મજબૂત થશે. ડ્રોન જેવા હુમલાને નિષ્ફળ બનાવવાની પૂર્ણ તૈયારી છે. એક તો ટ્રેનિંગ અને રુફ સ્ટાફને જણાવવામાં આવ્યું છે કે કેવા પગલા ભરવાના રહેશે. આ ઉપરાંત એરફોર્સ, DRDO, NSGની સાથે મળીને 360 ડિગ્રી કવરેજ આપવામાં આવશે. તેમની મોકડ્રિલ કરવામાં આવશે. કોરોનાને જોતા આવું પહેલા કરવામાં આવ્યું હતું. તે 20- 20 રહેશે.