બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / national emblem cast unveiled by pm designers say no deviation

અશોક સ્તંભ / PM મોદીએ લોન્ચ કરેલા રાષ્ટ્રીય ચિહ્નને લઈને વિવાદ, વિપક્ષે સિંહને ગણાવ્યો આક્રમક અને ક્રૂર, કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

Pravin

Last Updated: 12:51 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સંસદ ભવનની છત પર લાગેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભમાં છેડછાડ કરવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.

  • પ્રધાનમંત્રી મોદી નવા સંસદ ભવનની છત પર લાગેલા અશોક સ્તંભનું અનાવરણ કર્યું
  • વિપક્ષે મૂળ આકૃતિમાં છેડછાડ કરી હોવાનો આરોપ લગાવ્યો
  • કેન્દ્રીય મંત્રીએ સરકાર તરફથી આપ્યો જવાબ

પ્રધાનમંત્રી મોદીએ 11 જૂલાઈના રોજ નવા સંસદ ભવનની છત પર લાગેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યારે વિપક્ષે આ સ્તંભના આકારમાં છેડછાડ કરવાનો આરોપ લગાવતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. કેટલાય વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રીય પ્રતીક ચિન્હની સાથે ચાર સિંહના આકૃતિમાં ફેરફાર કરીને સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 

વિપક્ષનો આરોપ છે કે, અશોક સ્તંભના સિંહને ક્રૂર અને આક્રમક બનાવામાં આવ્યા છે. તેના માટે સિંહના મોં ખુલ્લા બતાવામાં આવ્યા છે. જ્યારે સારનાથ મ્યૂઝિયમમાં રાખેલા મૂળ સ્વરૂપવાળા અશોક સ્તંભમાં સિંહના મોં એટલા ખુલ્લા ન થી. જો કે, કેન્દ્ર સરકારે આ આરોપને ફગાવી દીધા છે. 

તો વળી આ સ્તંભને બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા સુનીલ દેવરેએ જણાવ્યું હતું કે, અમે કોઈના પણ કહેવા પર કોઈ ફેરફાર નથી કર્યો. આ સારનાથમાં રહેલા સ્તંભની જ કોપી છે. સુનીલે સ્તંભ માટે ક્લે અને થર્મોકોલ મોડલ તૈયાર કર્યો હતો. 

જયરામ રમેશે કહ્યું-રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, સારનાથમાં અશોક સ્તંભ પર સિંહનું ચરિત્ર અને પ્રકૃતિને બદલવી એ ભારતના રાષ્ટ્રીય પ્રતીકનું બેશર્મીભર્યું અપમાન છે. તો વળી કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, સંસદ અને રાષ્ટ્રીય પ્રતિક ભારતના લોકોનું છે. કોઈ એક વ્યક્તિનું નહીં.

TMC સાંસદે કહ્યું કે, સિંહ આક્રમક અને બેડોળ છે

ટીએમસીના સાંસદ જવાહર સરકાર અને મહુઓ મોઈત્રાએ અશોક સ્તંભમાં સિંહનો યોગ્ય ઢાંચો નહીં બતાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સરકાર અને મોઈત્રાનો આરોપ છે કે, અશોક સ્તંભના સિંહને આક્રમક અને બેડોળ રીતે બતાવામાં આવ્યો છે.  

રાજદે કહ્યું- નવા પ્રતીક ચિન્હમાં આદમખોર પ્રવૃતિ

રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટ કર્યું છે કે રાષ્ટ્રીય પ્રતીક સિંહના ચહેરા પર સૌમ્યતાનો ભાવ દેખાય છે. જ્યારે નવા પ્રતિક ચિન્હમાં આદમખોર પ્રવૃતિ દેખાઈ રહી છે. RJDએ કહ્યું કે ,અમૃતકાળમાં બનેલા નકલી ચહેરા પર માણસ, પૂર્વજો અને દેશનું સર્વસ્વ ગટકી જવાનો ભાવ દેખાઈ રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સુંદરતા જોવાના દ્રષ્ટિકોણ પર નિર્ભર કરે છે

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, સુંદરતા જોવાના દ્રષ્ટિકોણ પર નજર કરે છે. સારનાથનો મૂળ પ્રતિક ચિન્હ 1.6 મીટર ઊંચુ છે. જ્યારે નવા સંસદ ભવનના છત પર રહેલા પ્રતીકની ઊંચાઈ 6.5 મીટર છે. જો મૂળ સ્તંભની આકૃતિ નવી બિલ્ડીંગ પર રાખવામાં આવે તો, તે દેખાશે પણ નહીં.

એક્સપર્ટને એ પણ ખબર હોવી જોઈએ કે, સારનાથમાં રાખેલી મૂળ પ્રતિમા ગ્રાઉન્ડ લેવલ પર છે જ્યારે નવું પ્રતિક જમીનથી 33 મીટરની ઊંચાઈ પર છે. બંને આકૃતિની સરખામણી કરતી વખતે ખૂણા, ઊંચાઈ અને સ્કેલના પ્રભાવને પણ જોવા પડે. જો કોઈ નીચેથી સારનાથના પ્રતિકને જોશે તો તે એટલો જ શાંત અને ક્રોધિત લાગશે, જેટલી ચર્ચા થઈ રહી છે. 

આ અગાઉ સોમવારે પણ વિપક્ષે રાષ્ટ્રીય પ્રતિકના અનાવરણ પર વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, પીએમ મોદી તેનું અનાવરણ કરીને સંવિધાનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ધર્મનિરપેક્ષતા આહત થઈ છે કારણ કે, પ્રધાનમંત્રીએ હિન્દુ રીતિ રિવાજો અનુસાર પ્રાર્થના કરી અને આ અવસરે કોઈ પણ વિપક્ષી નેતાને પણ બોલાવ્યા નહોતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ