ટ્રેનો તથા સાર્વજનિક શૌચાલયોમાં લખેલા અશ્લિલ કમેન્ટ્સને દૂર કરવાનુ અભિયાન ચાલી રહ્યુ છે. ભદ્દી ટિપ્પણીઓ સાફ કરી લખી રહ્યા છે કે - કૃપા કરીને અશ્લિલતા ના ફેલાવો આ શૌચાલયનો પ્રયોગ તમારી મા-બહેન પણ કરશે.. આ અભિયાન ઝારખંડના ઘનબાદમાં ચલાવવામાં આવી રહ્યુ છે. સ્ટેશન પરથી પસાર થનારી તમામ એક ટ્રેન શહેરના તમામ એક પાર્ક સાર્વજનિક શૌચાલય સરકારી બ્લિંડિંગ બસ સ્ટેન્ડ.. વગેરેને આવરી લેવામાં આવ્યા છે.
એક વર્ષ પહેલાની વાત છે. ઘનબાદના ગાંધીનગરના ઉત્તમ સિન્હા કોલફીલ્ડ એક્સપ્રેસમાં હાવડાથી ઘનબાદ આવી રહ્યા હતા. તેમની સાથે પત્ના અપર્ણા અને આઠ વર્ષની દિકરી વર્ષા પણ હતી. ટ્રેનમાં બેઠાની થોડીવાર પછી દિકરી બોલી- 'પપ્પા ટૉયલેટ જવુ છે.' ઉત્તમ તેણે શૌચાલય સુધી લઇ ગયા. બહાર આવ્યા પછી દિકરીએ શૌચાલયની અંદરની દિવાલો પર લખેલી વાત વિશે પ્રશ્ન કર્યા ત્યારે તેઓ ચોંકી ગયા. દિકરીના સવાલો તેમને હચમચાવી દીધા.
ઉત્તમ અંદર ગયા અને શૌચાલયની દિવાલ પર લખેલા અશ્લિલ વાક્યોને તાત્કાલિક રીતે દૂર કર્યા. તે દિવસથી લઇને અત્યાર સુધી ઉત્તમ વિભિન્ન રૂટ્સની ટ્રેનોમાં 250થી વધારે શૌચાલયની દિવાલો પર લખેલા અપશબ્દો દૂર કરી ચૂક્યા છે અને લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે કે આ દિવાલો પર કોઇ વાત ના લખે જેને વાંચીને તમારી માતા બહેન તથા ઘરનો કોઇ સભ્ય શરમ ના અનુભવે. આમ કરતા હોય તે લોકોને રોકો. અશ્લિલ કમેન્ટ દૂર કર્યા પછી ઉત્તમ ટ્રેનની દિવાલ પર પોસ્ટ પર કાગળ ચોંટાડે છે જેના પર લખ્યુ છે કે ''સ્ટૉપ રાઇટિંગ આ શૌચાલયનો ઉપયોગ તમારી માં-બહેન પણ કરશે.''
ઉત્તમ કપડાનો વેપાર કરે છે તેઓ મોટેભાગે પટના છપરા કોલકાતા છત્તીસગઢ લખનઉ કાનપુર અને લુધિયાના શહેરતમાં જતા આવતા રહે છે. આ રૂટની લગભગ તમામ ટ્રેનોમાં તેઓ સફર કરે છે. આ દરમિયાન ટ્રેનના શૌચાલયમાં અશ્લિલ ટિપ્પણીઓ દેખાય તો તેઓ તત્કાલિક રીતે દૂર કરે છે. ટ્રેનના શૌચાલયથી શરૂઆત કરીને ઉત્તમે પાર્ક સરકારી કાર્યાલય બસ સ્ટેન્ડ અને હોટલના શૌચાલયમાં લખેલી અશ્લિલ ટિપ્પણીઓ પણ દૂર કરી રહ્યા છે.
એક વર્ષમાં ઉત્તમે પાર્ક સરકારી કાર્યાલય બસ સ્ટેન્ડ હોટલ તથા 180 શૌચાલયમાં લખેલા ગંદા કમેન્ટ્સ દૂર કરી ચૂકી છે. ઉત્તમની પત્ની અપર્ણા તેમના વખાણ કરતા કહ્યુ કે '' આ અભિયાનથી તમામ લોકો શીખ લેવી જોઇએ.'' તો બીજી તરફ ઉત્તમે કહ્યુ કે ''આમ લખતા પહેલા લોકોએ વિચારવુ જોઇએ કે ક્યારેક તેમના ઘરના લોકો આ શૌચાલયનો પ્રયોગ કરી શકે છે. વિચારીને જુઓ. આત્માને પણ શરમ આવશે પછી કેમ આ કામ? એવુ કામ કરવું જોઇએ જેનાથી શાંતિ મળે.''