બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કેમ સરકારી હોસ્પિટલો પર કેમ દોરવામાં આવી રહ્યું છે રેડ ક્રોસ? જાણો તણાવની પરિસ્થિતિ વચ્ચેના નિયમો
Last Updated: 03:00 PM, 10 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે, દિલ્હી સરકારે શુક્રવારે રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક નિર્દેશો આપ્યા છે. હોસ્પિટલની છત પર રેડ ક્રોસનું પ્રતીક લગાવવાનું, દવાઓનો પુરતો જથ્થો રાખવાનો, બેકઅપ પાવર સુવિધાઓ તૈયાર રાખવાની અને ભૂગર્ભ આશ્રયસ્થાનો (શેલ્ટર) તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ પગલાંનો હેતુ એ છે કે જો કોઇ હવાઈ હુમલો થાય, તો હોસ્પિટલોનું રક્ષણ થાય અને તેને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સુરક્ષિત સ્થળો તરીકે ચિહ્નિત કરી શકાય.
ADVERTISEMENT
દિલ્હીની 38 સરકારી હોસ્પિટલોમાંથી 25, જેમ કે લોક નાયક, દીનદયાળ ઉપાધ્યાય, GTB અને ઇન્દિરા ગાંધી હોસ્પિટલોમાં રેડ ક્રોસના પ્રતીકનો રંગવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કેટલીક હોસ્પિટલો એ કામ માટે જાહેર બાંધકામ વિભાગ (PWD) ની મદદ માંગી છે. ઉપરાંત, હોસ્પિટલોને દવાઓ, જનરેટર અને આપત્તિ વ્યવસ્થાપન માટેની આખરી યોજના તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. શનિવારે તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરએ જણાવ્યું કે માત્ર તેમની હોસ્પિટલ માટે નહીં પણ જીબી પંત અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ માટે પણ મોક ડ્રીલનું આયોજન કરાયું છે. તબીબી ટીમો નાગરિકોને હવાઈ હુમલાની સ્થિતિમાં સાયરનની ઓળખ અને આશ્રય સ્થળોની જાણકારી આપી રહી છે. ત્યારે સરકાર દ્વારા તમામ ડોક્ટરોની રજા પણ રદ કરવામાં આવી છે અને હોસ્પિટલોને અગ્નિ સલામતી, ICU બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય અંગે વિગતવાર રિપોર્ટ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવાની અને તેમનો સંપર્ક જણાવી દેવાનો આદેશ છે.
#WATCH | Madhya Pradesh | Red cross symbol painted on rooftops of hospitals in Gwalior
— ANI (@ANI) May 8, 2025
Gajra Raja Medical College Dean Dr RKS Dhakad says, "Whenever guidelines are issued with regards to national security, as can be seen in the ongoing situation against Pakistan, all the… pic.twitter.com/RIvyv6brTM
આ તમામ પગલાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ હોસ્પિટલના રક્ષણ માટે જરૂરી છે. 1949ના જીનીવા સંમેલન અનુસાર, આરોગ્ય સંસ્થાઓ, તબીબી સ્ટાફ અને દર્દીઓ યુદ્ધ દરમિયાન સુરક્ષિત ગણાય છે. પ્રથમ અને બીજા જીનીવા સંમેલનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હોસ્પિટલો પર હુમલો નહિ કરી શકાય. રેડ ક્રોસ, રેડ ક્રેસન્ટ અથવા રેડ ક્રિસ્ટલ જેવા ચિહ્નોનો ઉપયોગ આવા સ્થળોને ઓળખવા માટે થાય છે. આ કાયદાની કલમ 8(c) અને 8(e) અનુસાર, જો હોસ્પિટલો ફક્ત તબીબી સેવાઓમાં સક્રિય હોય અને કોઈ લશ્કરી પ્રવૃત્તિમાં સામેલ ન હોય, તો તે લશ્કરી લક્ષ્ય બની શકે નહિ. જો આવી હોસ્પિટલ પર હુમલો થાય, તો તેને યુદ્ધ અપરાધ માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો : નાયક નહીં ખલનાયક આસીમ મુનીર, ભારત પર નિશાન સાધતા જ તે ભસ્માસુર બની ગયો
જ્યારે હોસ્પિટલ લશ્કરી હેતુ માટે ઉપયોગમાં લેવાય છે જેમ કે શસ્ત્રોનો સંગ્રહ થાય અથવા લશ્કરી કમાન્ડ સેન્ટર તરીકે ઉપયોગ થાય ત્યારે તેની સુરક્ષા ઊપસી શકે છે. દિલ્હીની હોસ્પિટલોમાં રેડ ક્રોસ પ્રતીક લગાવવાનું પગલું એ દિશામાં છે કે જ્યાં આરોગ્ય સેવા કેન્દ્રોનો રક્ષણ સુનિશ્ચિત થાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિમાં પણ નાગરિકોની તબીબી સુરક્ષા ટકી રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.