બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેમ સરકારી હોસ્પિટલો પર કેમ દોરવામાં આવી રહ્યું છે રેડ ક્રોસ? જાણો તણાવની પરિસ્થિતિ વચ્ચેના નિયમો

ઓપરેશન સિંદૂર / કેમ સરકારી હોસ્પિટલો પર કેમ દોરવામાં આવી રહ્યું છે રેડ ક્રોસ? જાણો તણાવની પરિસ્થિતિ વચ્ચેના નિયમો

Last Updated: 03:00 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે દિલ્હીમાં સલામતી માટે ચિંતાનો માહોલ છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે તમામ સરકારી હોસ્પિટલોને કટોકટી માટે સંપૂર્ણ તૈયાર રહેવા માટે ખાસ સૂચનાઓ આપી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે, દિલ્હી સરકારે શુક્રવારે રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક નિર્દેશો આપ્યા છે. હોસ્પિટલની છત પર રેડ ક્રોસનું પ્રતીક લગાવવાનું, દવાઓનો પુરતો જથ્થો રાખવાનો, બેકઅપ પાવર સુવિધાઓ તૈયાર રાખવાની અને ભૂગર્ભ આશ્રયસ્થાનો (શેલ્ટર) તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ પગલાંનો હેતુ એ છે કે જો કોઇ હવાઈ હુમલો થાય, તો હોસ્પિટલોનું રક્ષણ થાય અને તેને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સુરક્ષિત સ્થળો તરીકે ચિહ્નિત કરી શકાય.

red-cross

દિલ્હીની 38 સરકારી હોસ્પિટલોમાંથી 25, જેમ કે લોક નાયક, દીનદયાળ ઉપાધ્યાય, GTB અને ઇન્દિરા ગાંધી હોસ્પિટલોમાં રેડ ક્રોસના પ્રતીકનો રંગવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કેટલીક હોસ્પિટલો એ કામ માટે જાહેર બાંધકામ વિભાગ (PWD) ની મદદ માંગી છે. ઉપરાંત, હોસ્પિટલોને દવાઓ, જનરેટર અને આપત્તિ વ્યવસ્થાપન માટેની આખરી યોજના તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. શનિવારે તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

redcross-2

હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરએ જણાવ્યું કે માત્ર તેમની હોસ્પિટલ માટે નહીં પણ જીબી પંત અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ માટે પણ મોક ડ્રીલનું આયોજન કરાયું છે. તબીબી ટીમો નાગરિકોને હવાઈ હુમલાની સ્થિતિમાં સાયરનની ઓળખ અને આશ્રય સ્થળોની જાણકારી આપી રહી છે. ત્યારે સરકાર દ્વારા તમામ ડોક્ટરોની રજા પણ રદ કરવામાં આવી છે અને હોસ્પિટલોને અગ્નિ સલામતી, ICU બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય અંગે વિગતવાર રિપોર્ટ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવાની અને તેમનો સંપર્ક જણાવી દેવાનો આદેશ છે.

આ તમામ પગલાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ હોસ્પિટલના રક્ષણ માટે જરૂરી છે. 1949ના જીનીવા સંમેલન અનુસાર, આરોગ્ય સંસ્થાઓ, તબીબી સ્ટાફ અને દર્દીઓ યુદ્ધ દરમિયાન સુરક્ષિત ગણાય છે. પ્રથમ અને બીજા જીનીવા સંમેલનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હોસ્પિટલો પર હુમલો નહિ કરી શકાય. રેડ ક્રોસ, રેડ ક્રેસન્ટ અથવા રેડ ક્રિસ્ટલ જેવા ચિહ્નોનો ઉપયોગ આવા સ્થળોને ઓળખવા માટે થાય છે. આ કાયદાની કલમ 8(c) અને 8(e) અનુસાર, જો હોસ્પિટલો ફક્ત તબીબી સેવાઓમાં સક્રિય હોય અને કોઈ લશ્કરી પ્રવૃત્તિમાં સામેલ ન હોય, તો તે લશ્કરી લક્ષ્ય બની શકે નહિ. જો આવી હોસ્પિટલ પર હુમલો થાય, તો તેને યુદ્ધ અપરાધ માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો : નાયક નહીં ખલનાયક આસીમ મુનીર, ભારત પર નિશાન સાધતા જ તે ભસ્માસુર બની ગયો

જ્યારે હોસ્પિટલ લશ્કરી હેતુ માટે ઉપયોગમાં લેવાય છે જેમ કે શસ્ત્રોનો સંગ્રહ થાય અથવા લશ્કરી કમાન્ડ સેન્ટર તરીકે ઉપયોગ થાય ત્યારે તેની સુરક્ષા ઊપસી શકે છે. દિલ્હીની હોસ્પિટલોમાં રેડ ક્રોસ પ્રતીક લગાવવાનું પગલું એ દિશામાં છે કે જ્યાં આરોગ્ય સેવા કેન્દ્રોનો રક્ષણ સુનિશ્ચિત થાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિમાં પણ નાગરિકોની તબીબી સુરક્ષા ટકી રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi hospitals emergency Red Cross symbol India Pakistan tension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ