નિર્ભયાનાં ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચારમાંથી 2 આરોપીઓ એટલે કે વિનય અને મુકેશનાં ડેથ વોરંટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે પિટીશન દાખલ કરી હતી. પરંતુ કોર્ટનાં 5 જજોને ખંડપીઠે દયા પિટીશનને ફગાવી દીધી છે. જે બે ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશન રદ થઈ છે તેમની પાસે હવે ફક્ત રાષ્ટ્રપતિની દયા પિટીશનનો રસ્તો છે.
નિર્ભયાનાં ગુનેગારો પાસે હવે 7 દિવસ બાકી
એક અઠવાડિયામાં તેઓ ઈચ્છે તો રાષ્ટ્રપતિ પાસે દયાની માંગ કરી શકે છે
ગુનેગારો પાસે સમય અને વિકલ્પ બન્ને નહીવત
રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીનો વિકલ્પ ખુલ્લો છે
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફ 7 જાન્યુઆરીનાં દિવસે 4 ગુનેગારો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીનાં રોજ સવારે 7 વાગે ગુનેગારોને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે તમામ ગુનેગારો પાસે હવે માત્ર એક અઠવાડિયાનો સમય વધ્યો છે અને તેમની પાસે સજાથી બચવા માટે બહું ઓછો વિકલ્પ વધ્યો છે. જે 2 ગુનેગારોની પિટીશન ફગાવવામાં આવી છે તે ફક્ત રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકે છે. બાકીનાં 2 ગુનેગારો પાસે 7 દિવસની અંદર ક્યૂરેટિવ પિટીશન અને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીનો વિકલ્પ ખુલ્લો છે.
તજજ્ઞનો શું કહે છે
વિશેષજ્ઞોનું માનવું છે કે રાષ્ટ્રપતિ પાસે જો ચારેય ગુનેગારો દયાની અરજી કરે છે તો તેને મંજૂર કરવાની શક્યતા ના બરાબર છે. ઉલ્લેખનીય છે કે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિએ જ લેવાનો છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાષ્ટ્રપતિ સામે હશે અને ચારેય ગુનેગારોનો જઘન્ય અપરાધ પણ તેમની વિરુદ્ધ હશે.