ભારત દુનિયાનો બીજો એવો દેશ બન્યો છે જ્યાં સૌથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અમેરિકામાં સૌથી વધારે દર્દીઓ અત્યાર સુધી કોરોનાને માત આપી ચૂક્યા છે. વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 38.55 લાખથી વધારે કોરોનાના દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. જ્યારે અમેરિકામાં કોરોનાથી માત આપનારા લોકોની સંખ્યા 40 લાખથી વધુ અને બ્રાઝિલમાં 35.75 લાખ પહોંચી છે.
દુનિયામાં સૌથી વધારે કોરોના દર્દીઓ ભારતમાં થયા સાજા
દુનિયાભરમાં 9.24 લાખ લોકોના થયા છે મોત
જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંક 2.90 કરોડને પાર કરી ચૂક્યો છે. તેમાંથી 1.96 કરોડ લોકો મહામારીને માત આપી ચૂક્યા છે. મહામારીથી 9.24 લાખ લોકોના મોત થયા છે. દેશભરમાં આ મહામારીના કારણે મૃત્યુઆંક 80 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 1063 મોત સાથે સંખ્યા 80707 થઈ છે. છેલ્લા 2 અઠવાડિયામાં રોજ 1000થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે.
60 ટકા સક્રિય કેસ ફક્ત 5 રાજ્યોમાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 60 ટકા સક્રિય કેસ 5 રાજ્યોમાં આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટકસ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ સામેલ છે. કોરોનાને માત આપનારા કુલ દર્દીમાં 60 ટકા પણ આ 5 રાજ્યોમાં છે. દર્દીના સ્વસ્થ થવાનો દર 78 ટકા રહ્યો છે. આ 5 રાજ્યોમાં કુલ સંક્રમિતોના લગભગ 60 ટકા કેસ છે.
સંક્રમિતોનો આંક 49.15 લાખને પાર થયો
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સમાચાર એજન્સીઓના સોમવારે રાતે 9 વાગે મળેલા આંકડા અનુસાર રવિવાર રાતથી અત્યારસુધીમાં 79358 નવા કેસ આવ્યા છે અને સંક્રમિતોનો કુલ આંક 49.15 લાખને પાર થયો છે. આ સમયમાં 82152 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે, કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 38,45 લાખથી વધી છે. સક્રિય કેસની સંથ્યા હજુ પણ 9.90 લાખની નજીક છે.