કેરળમાં કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે આ વાતને ખરાઈ કરી છે. ત્યારે કેરળમાં કોરોના વાયરસ જણાતા લોકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ સરકારની પણ ચિંતા વધી છે. ત્યારે કેરળમાં આ કોરોના કેવી રીતે આવ્યો. કોરોના ગ્રસ્ત વ્યક્તિ કોણ છે.
કેરળમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો
કેરળનો દર્દી વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે
ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ વાતની ખરાઈ કરવામાં આવી છે
કેરળમાં કોરોના વાયરસ પોઝિટિવ
કેરળમાં કોરોના વાયરસનો એક પોઝિટીવ કેસ સામે આવ્યો છે. સૂત્રોનાં જણાવ્યાનું સાર ચીનનાં વુહાન વિશ્વવિદ્યાલયમાં તે અભ્યાસ કરી રહ્યો હતો. થોડાક દિવસ પહેલા જ તે કેરળ આવ્યો હતો. દર્દીની હાલત અત્યારે સ્થિર છે અને તે કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ વાતની ખરાઈ કરી છે કે કેરળમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો છે.
One positive case of Novel Coronavirus has been found, in Kerala. The student was studying at Wuhan University in China. The patient is stable and is being closely monitored. #coronaviruspic.twitter.com/fDlME0UdRR
ખતરનાક કોરોના વાયરસ ચીન સહિત અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. વાયરસની ઝપેટથી ચીનમાં મરનારાઓની સંખ્યામાં વધીને 170થી વધારે પહોંચી ગઈ છે. જ્યારે 7711 લોકો તેની અસર હેઠળ હોવાની વાતની ખરાઈ પણ કરવામાં આવી છે. વુહાનથી કેરલ પાછા ફરેલા વિદ્યાર્થીમાં કોરોના વાયરસની ખરાઈ કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હીમાં ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરાયેલા કોરોના વાયરસનાં 3 શંકાસ્પદ દર્દીઓને તપાસ બાદ રજા આપવામાં આવી છે.
ત્રિપુરામાં એક પરિવારનો દાવો
ત્રિપુરામાં એક પરિવારનો દાવો છે કે કોરોના વાયરસનાં કારણે તેમના પરિવારના એક વ્યક્તિની મલેશિયામાં મોત નિપજ્યું છે.